જો હવે તમે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો તમારા ખિસ્સા પર ખર્ચ વધી જશે. સરકારે 1 સપ્ટેમ્બરથી એવિએશન સિક્યોરિટી ફી 160 રૂપિયા પ્રતિ પેસેન્જર નક્કી કરી છે.
સરકારે ફ્લાઈટ્સના નિયમમાં કર્યો આ ફેરફાર
1 સપ્ટેમ્બરથી વધશે યાત્રી ભાડુ
10 રૂપિયા પ્રતિ પેસેન્જર એવિએશન ફીમાં કર્યો વધારો
જો તમે હવાઈ મુસાફરી કરવા ઈચ્છો છો તો આ સમાચાર તમારા માટે છે. હવેથી એટલે કે 1 સપ્ટેમ્બરથી તમારા ખિસ્સા પર મુસાફરીનો ભાર વધશે. કેન્દ્ર સરકારે એરપોર્ટ યાત્રીઓની પાસેથી લેવાતી સિક્યોરિટી ફીમાં વધારો કર્યો છે. આ વખતે સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં 10 રૂપિયા પ્રતિ યાત્રીનો વધારો કર્યો છે. હવે આ ફી 160 રૂપિયા પ્રતિ યાત્રી કરી દેવામાં આવી છે. આ વધારો 1 સપ્ટેમ્બરથી લાગૂ કરાશે.
આ કારણે વધારવામાં આવી છે ફી
એરપોર્ટ પર વધતા સુરક્ષા ખર્ચને આગળ વધારવા માટે એવિએશન સિક્યોરિટી ફીમાં વધારો કરાયો છે. તેનાથી હવાઈ યાત્રા મોંઘી થવાની સંભાવના સેવાઈ રહી છે. સીઆઈએસએફ દેશના 61 એરપોર્ટ પર સુરક્ષા આપે છે. કોરોના વાયરસના કારણે એરપોર્ટ પર ફૂટફોલમાં ઘટાડો થયો છે. જેના કારણે સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે. આ સિવાય સીઆઈએસએફ મુસાફરોની તપાસ માટે પીપીઈ સૂટ, માસ્ક, ગ્લવ્ઝ જેવી વસ્તુઓનો ઉપયોગ પણ કરી રહી છે. તેના કારણે સુરક્ષા ખર્ચમાં વધારો થયો છે.
સિવિલ એવિએશન મિનિસ્ટ્રીનો હતો આદેશ
એવિએશન સિક્યોરિટી ફીના વધારાના સંબંધમાં એવિએશન મિનિસ્ટ્રીએ 13 ઓગસ્ટે આદેશ જાહેર કર્યો છે. આદેશના આધારે સરકારે એરક્રાફ્ટ રૂલ્સ 1937માં આપવામાં આવેલી શક્તિઓનો ઉપયોગ કરીને એવિએશન સિક્યોરિટી ફીમાં વધારાને મંજૂરી આપી છે.
ગયા વર્ષે વધારવામાં આવ્યા હતા 20 રૂપિયા
સરકારે એવિએશન સિક્યોરિટી ફીમાં 2019માં 20 રૂપિયાનો વધારો કરીને 150 રૂપિયા પ્રતિ પેસેન્જરની ફી નક્કી કરી હતી. ત્યારે એરપોર્ટ ઓપરેટરોએ કહ્યું કે અનેક વર્ષ પહેલાં 130 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. તે સિક્યોરિટી ફી સીઆઈએસએફના ખર્ચને પહોંચી વળવા પૂરતા ન હતા. આ રીતે ઘરેલૂ ફ્લાઈટથી આંતરરાષ્ટ્રિય યાત્રા પર પણ સિક્યોરિટી ફીમાં વધારો કરાયો હતો.