નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ પેસેન્જર ચાર્ટર ઇસ્યુ કર્યુ છે. તેમાં હવાઇ મુસાફરોના અધિકારોની માહિતી આપવામાં આવી છે ,જે અનુસાર કોઇ ફ્લાઇટમાં 6 કલાકથી વધારે મોડુ થવાની શક્યતા હોય તો એરલાઇને અલ્ટરનેટ ફ્લાઇટનો વિકલ્પ આપવાનો રહેશે અથવા તો પછી ટિકિટના બધા જ પૈસા રિફન્ડ કરવા પડશે.આ નિયમો પહેલાથી જ લાગૂ છે. યાત્રીઓની જાણકારી અનુસાર, તેમણે આ બુકલેટના રૂપમાં જારી કરવામાં આવ્યુ છે.
- બુકિંગના 24 કલાકની અંદર ટિકિટ રદ્દ કરાવવા પર કોઇ કેન્સલેશન ચાર્જ નહી લાગે, પરંતુ ફ્લાઇટની તારીખના ઓછામાં ઓછા 4 દિવસ પહેલા ટિકિટ રદ્દ થવી જોઇએ. કોઇ પણ સ્થિતિમાં કેન્સલેશન ચાર્જ ટિકિટના રૂપિયાથી વધારે નહી હોય.
- બુકિંગ સમયે જ એરલાઇન્સ યાત્રીઓને જણાવશે કે ટિકિટ રદ્દ કરાવવા પર કેટલા રૂપિયા પરત મળશે. બુકિંગના 24 કલાકની અંદર યાત્રીના નામમાં 3 અક્ષર સુધી સુધાર કરવા પર કોઇ શુલ્ક નહી લાગે. દરેક એરપોર્ટ 30 મિનિટ સુધી ફ્રીમાં Wifi આપશે. વધારે બુકિંગની સ્થિતિમાં કોઇ પણ યાત્રીને વિમાનમાં નહી જવા દેવામાં આવે અને એરલાઇન એક કલાકની અંદર બીજી ફ્લાઇટમાં જગ્યા આપે તો યાત્રીઓ વળતર ના માંગી શકે.
- એરલાઇન એક કલાકની અંદર એરલાઇન એક કલાકની અંદર બીજી ફ્લાઇટમાં જગ્યા આપે તો યાત્રીઓને વળતર નહી મળે. 24 કલાકની અંદર બીજી ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવા પર 10000 રૂપિયા અને પછી 20000 રૂપિયાનું વળતર મળશે. યાત્રી વૈકલ્પિક ફ્લાઇટ ના લે તો 20000 રૂપિયા રિફન્ડનો હકદાર હશે. ટિકિટની રકમ રોકડમાં આપી તો રિફન્ડ તત્કાલમા મળશે, જો કાર્ડથી પેમેન્ટ કર્યુ તો 7 દિવસમાં રૂપિયા મળશે.
- ફ્લાઇટ મોડુ થવાથી બીજી ફ્લાઇટ ચૂકી જવાય તો 20000 રૂપિયા સુધીનુ વળતર મળશે. રાત્રે 8થી 3 વાગ્યાની ફ્લાઇટ 6 કલાકથી વધારે મોડી થાય તો એરલાઇન મફતમાં હોટલ ઉપલબ્ધ કરાવશે.
- એરલાઇન દિવ્યાંગોના જરૂરી ડિવાઇસ, સહયોગી ગાઇડ ડૉગ લઇ જવા માટે ઇન્કાર ના કરી શકે. યાત્રીને ટિકિટ લેતા સમયે આ અંગેની જાણકારી આપવાની રહેશે.
- ઘરેલૂ ઉડાનના કારણે કોઇ યાત્રીને શારીરિક ક્ષત્રિ પહોંચે અથવા તો મૃત્યુ પામે તો એરલાઇન 20 લાખ રૂપિયા આપશે, પ્રાકૃતિક મૃત્યુ પર કોઇ રકમ ના મળે.
- સમાન ખોવાઇ જવા પર ઓછામાં ઓછા 3000 રૂપિયા મળશે. સમાનમાં મોડુ અથવા તો નુકસાન થવા પર ઓછામાં ઓછા 1000 રૂપિયા, અધિક્તમ 20000 રૂપિયા પ્રતિ યાત્રી વળતર મળશે.