જે લોકો ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા છે તેઓને માટે આરટીપીસીઆર ટેસ્ટ સાથેના કેટલાક નિયમોની ગાઈડલાઈન તૈયાર કરાઈ છે. કોરોનાને માત આપવા તેનું પાલન જરૂરી છે.
ફ્લાઈટમાં મુસાફરી કરનારા આપે ધ્યાન
એક રાજ્યથી અન્ય રાજ્યમાં જતા પહેલા જાણી લેજો આ નિયમ
જાહેર કરાઈ છે ખાસ ગાઈડલાઈન
કોરોના વાયરસના કહેર બાદથી દરેક રાજ્ય સરકારે પોતાના રાજ્યને માટે નવી ગાઈડલાઈન બનાવીને રાખી છે. સમયાંતરે તેમાં ફેરફાર પણ કરાય છે. આ ગાઈડલાઈનમાં રાજ્ય સરકાર નાગરિકોને દિશા નિર્દેશ આપે છે કે તેઓએ કોરોનાના સમયમાં કયા નિયમોનું પાલન કરવાનુ રહે છે. આ ગાઈડલાઈનમાં દુકાનોના ખોલવાના સમય, નાઈટ કર્ફ્યૂ, લગ્ન, વિવાહ, રાજ્યની બહાર જનારા લોકોને માટેના નિયમો, રાજ્યમાં આવનારા લોકો માટેના નિયમો સામેલ છે. એવામાં રાજ્યના નાગરિકો અને રાજ્યમાં આવનારા નાગરિકોને એ નિયમોનું પાલન કરવાનુ રહે છે.
આ છે નિયમો
ફ્લાઈટમાં મુસાફરી કરીને એક રાજ્યથી અન્ય રાજ્યમાં જનારા લોકોને માટે આ નિયમોનું પાલન કરવાનું જરૂરી છે. તેમાં આરટીપીસીઆર ટેસ્ટ સાથેના અનેક નિયમો જોડાયેલા છે. તમે જો કોઈ એક રાજ્યથી અન્ય રાજ્યમાં ટ્રાવેલ કરી રહ્યા છો તો તમે તે રાજ્યની ગાઈડલાઈન વાંચો. અહીં તમને એ રાજ્યમાં કોઈ મુશ્કેલી નહીં રહે. અહીં તમને નિયમની જાણકારી આપવામાં આવી છે જેથી તમે બહારથી જાઓ છો તો તમને કોઈ તકલીફ ન રહે.
ટ્વિટર પર ઈન્ડિગોના યાત્રીઓએ પૂછ્યા હતા પ્રશ્નો
ઈન્ડિગોના યાત્રીઓએ સવાલ કર્યા હતા કે ટ્રાવેલની ગાઈડલાઈન, વેક્સિનના ડોઝની જરૂરિયાત, સર્ટિફિકેટ, કોરોના ટેસ્ટ જરૂરી છે કે નહીં વગેરે. આ માટે યાત્રીઓનું કહેવું છે કે આ વાત રાજ્ય સરકારની ગાઈડલાઈન પર આધાર રાખે છે કે નિયમ શું છે. તમે જે રાજ્યમાં જઈ રહ્યા છો ત્યાંની ગાઈડલાઈન વાંચો તે જરૂરી છે.
શું છે ગાઈડલાઈન
આમ તો દરેક રાજ્યની અલગ ટ્રાવેલ ગાઈડલાઈન છે. જેમકે દરેક યાત્રીઓએ આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કર્યું હોવું જોઈએ. આ સિવાય દિલ્હીના નિયમ અનુસાર કોઈ પણ યાત્રીના પોઝિટિવ આવ્યા પર તેને 10 દિવસ ક્વોરન્ટાઈન કરાશે. આ સિવાય દરેક યાત્રીના સેમ્પલ લેવાશે. આ સાથે રાજસ્થાનમાં આવનારા યાત્રીઓનું થર્મલ સ્ક્રીનિંગ કરાશે અને સાથે યાત્રીઓને પોતાની સાથે કોવિડ નેગેટિલ વધારેને વધારે 72 કલાક જૂનો રિપોર્ટ સાથે રાખવાનો રહેશે.
જ્યારે તમે રાજ્યની ગાઈડલાઈન ઈન્ડિગોની સાઈટ પર જઈને જોઈ શકો છો. આ સિવાય તમે સીધા લિંક પર ક્લિક કરીને તે પેજ પર પણ જઈ શકો છો. અહીં દરેક રાજ્યોની ગાઈડલાઈન આપવામાં આવી છે જેથી કોઈપણ યાત્રીઓને મુસાફરીમાં મુશ્કેલી રહે નહીં.