બિલ અંતર્ગત મજૂરોની સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવશે અને કારોબારી માહોલને વધારે સુગમ બનાવવામાં આવશે. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે આનો લાભ દેશનાં 50 કરોડ શ્રમિકોને થશે. આ બિલને લોકસભામાં 30 જુલાઇનાં રોજ મંજૂરી મળી ચૂકી છે.
દેશમાં શ્રમિકોનું ન્યૂનતમ વેતન (Minimum wage) અને મજૂરી ચૂકવણીમાં લૈંગિક ભેદભાવને સમાપ્ત કરવાવાળું વેતન આયોગ બિલ (Fixing minimum wages) 2019 રાજ્યસભામાં (rajyasabha) પાસ થઇ ગયું છે. બિલના પક્ષમાં 85 અને વિપક્ષમાં 8 વોટ પડ્યાં. આ બિલમાં શ્રમ કાયદાઓને સમાયોજિત કરીને એક કાયદો બનાવવાની, ચૂકવણી અને બોનસ સંબંધી મામલાને પતાવવાની જોગવાઇ છે.
બિલ અંતર્ગત મજૂરોની સામાજિક સુરક્ષાને પ્રોત્સાહન આપવામાં આવશે અને કારોબારી માહોલને વધારે સુગમ બનાવવામાં આવશે. શ્રમ મંત્રી સંતોષ કુમાર ગંગવારે કહ્યું કે આનો લાભ દેશનાં 50 કરોડ શ્રમિકોને થશે. આ બિલને લોકસભામાં 30 જુલાઇનાં રોજ મંજૂરી મળી ચૂકી છે.
ઉપલા ગૃહમાં બિલને ચર્ચા માટે રજૂ કરતા કેન્દ્રીય મંત્રી ગંગવારે કહ્યું કે, દરેક શ્રમિકને સમ્માનજક જિંદગી જીવવાનો અધિકાર છે. સરકારે છેલ્લી લોકસભા દરમ્યાન પ્રવર સમિતિ તરફથી આપવામાં આવેલ 24માંથી 17 ભલામણોને આ બિલમાં શામેલ કરેલ છે. તેમને જણાવ્યું કે રાજ્યોના અધિકાર સુરક્ષિત રહેશે અને કેન્દ્રમાં તેમાં દખલગીરી નહીં કરે.
એક ત્રિપક્ષીય સમિતિ લઘુતમ વેતન નક્કી કરશે કે જેમાં ટ્રેડ યૂનિયન, શ્રમિક અને રાજ્ય સરકારના પ્રતિનિધિ શામેલ રહેશે. આ વેતનને પૂરા દેશમાં લાગુ કરવામાં આવશે કે જે દરેક શ્રમિકનો અધિકાર હશે. જેમાં માસિક, સાપ્તાહિક અને દૈનિક આધાર પર વેતન ચૂકવવા મામલાને પણ પૂર્ણ કરવામાં મદદ મળશે. બિલ એ પણ સુનિશ્ચિત કરશે કે શ્રમિકોમાં લૈંગિક આધાર પર કોઇ જ ભેદભાવ નહીં કરવામાં આવશે.
શ્રમિક કલ્યાણ માટે ઐતિહાસિક છે આ બિલઃ
બિલને શ્રમિક કલ્યાણ માટે ઐતિહાસિક બતાવતા તેઓએ કહ્યું કે, આને શ્રમિક સંગઠનો, કર્મચારીઓ અને રાજ્ય સરકારોને પરામર્શ બાદ તૈયાર કરવામાં આવેલ છે અને આનાંથી દેશમાં સંગઠિત અને અસંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા 40 કરોડથી પણ વધારે કારીગરોને લઘુતમ મજૂરી નક્કી કરવામાં આવશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, આ બિલના માધ્યમથી માત્ર મજૂરો અથવા શ્રમિકોના હિતોને જ નથી ધ્યાનમાં રખાયો પરંતુ તેમાં કર્મચારીઓના હિતોને પણ સંપૂર્ણપણે ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. કર્મચારીની તમામ પરિભાષાઓમાં એકરૂપતા લાવવામાં આવી રહી છે.