મોંઘવારીને અંકુશમાં લેવા માટે RBI વ્યાજ દરોમાં વધારો કરી શકે છે. આવી સ્થિતિમાં તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે એક નિશ્ચિત વ્યાજ દર પસંદ કરવો કે ફ્લોટિંગ વ્યાજ દર.
RBI વ્યાજ દરોમાં કરી શકે વધારો
હોમ લોન લેવાની હોય તો ખાસ વાંચી લેજો
તમારી મોટી સમસ્યા થશે દૂર
રિઝર્વ બેન્કે આ મહિને મોંઘવારીને નિયંત્રિત કરવા માટે રેપો રેટમાં 40 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. RBI મોનિટરી પોલિસી કમિટીએ દરેકને ચોંકાવતા અચાનક આ નિર્ણય લીધો છે. તેના પહેલા મોટાભાગના આર્થિક નિષ્ણાંતો વ્યાજદરોમાં વૃદ્ધિનું અનુમાન તો લગાવી રહ્યા હતા પરંતુ તેમનું અનુમાન એ હતું કે વધારો જૂન 2022 પહેલા નહીં થાય.
આ વધારાની પાછળ RBIએ મોંઘવારીને કારણ ગણાવ્યું છે. માર્ચ 2022માં રીટેલ મોંઘવારી વધીને 17 મહિનાના ઉચ્ચ સ્તર 6.95 ટકા પર પહોંચી ગઈ. ત્યાં જ જથ્થાબંધ મોંઘવારી 4 મહિનાના ઉચ્ચ સ્તર 14.55 ટકા પર પહોંચી ગઈ. તેનાથી એક વર્ષ પહેલા આ મહિને એટલે કે માર્ચ 2021માં આ 7.89 ટકા હતી.
લોન લેવી બનશે મોંઘી
રિઝર્વ બેંકના આ પગલા બાદ મોટાભાગની બેંકોએ લોનના વ્યાજદરમાં વધારો કર્યો છે. જેના કારણે લોન લેવી મોંઘી બની છે. આગામી મહિનાઓમાં તેમાં વધુ વધારો થવાની શક્યતા છે. આ વધારો મોટાભાગની નાની લોનની કિંમતમાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે.
જ્યાં સુધી હોમ લોનનો સવાલ છે. વ્યાજદરમાં વધારાને કારણે રિયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવવાની શક્યતા છે. આ બજાર છેલ્લા ત્રણ વર્ષથી સ્થિર છે અને તેમાં વૃદ્ધિ જોવા મળી નથી.
મિલકતના ભાવમાં વધારો
કોરોના મહામારી પહેલા અને તે દરમિયાન પ્રોપર્ટીની કિંમતોમાં ઘટાડો થયો હતો. રિયલ એસ્ટેટ કંપનીઓ પાસે પુષ્કળ ઇન્વેન્ટરી હતી અને ગ્રાહકોનું સેન્ટિમેન્ટ પણ ખરાબ હતું. આ કારણે મોટાભાગના બિલ્ડરો બાકીના મકાનો ખૂબ જ ઓછા માર્જિન પર વેચવામાં લાગેલા હતા.
પછી એક સમય એવો આવ્યો કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પ્રભાવિત થઈ. તેના કારણે સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં 6-8 ટકાનો વધારો થયો છે. આવી સ્થિતિમાં બિલ્ડરો પાસે ગ્રાહકો પર બોજ નાખવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.
હજુ વધશે વ્યાજદર
ભવિષ્યમાં રિઝર્વ બેન્ક ફુગાવાને કાબૂમાં રાખવા માટે વ્યાજ દરોમાં વધુ વધારો કરી શકે છે. આ સાથે બજારમાંથી લિક્વિડિટી ઘટાડવા માટે પણ પગલાં લઈ શકાય છે. આવી સ્થિતિમાં હોમ લોન લેતા ગ્રાહકો માટે નિશ્ચિત વ્યાજ દર પસંદ કરવાનું યોગ્ય છે અથવા ફ્લોટિંગ વ્યાજ દરને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
ફિક્સ્ડ કે ફ્લોટિંગ
વ્યાજ દરો વધવાથી નજીકના ભવિષ્યમાં તેમાં ઘટાડો થવાની શક્યતા નથી. નવા અને જૂના બંને ગ્રાહકો માટે ફ્લોટિંગને બદલે નિશ્ચિત દર પસંદ કરવાનું યોગ્ય રહેશે. તેનાથી ન માત્ર EMI ઘટશે સાથે જ લાંબા ગાળે કરવામાં આવનાર વ્યાજની ચૂકવણીમાં પણ નોંધપાત્ર રકમ બચાવશે.
જો કે વર્તમાન સમયમાં લાંબા સમય માટે ફિક્સ્ડ રેટ પર લોન લેવી મુશ્કેલ બની શકે છે. એકવાર મોંઘવારી અંકુશમાં આવી જાય પછી ગ્રાહકો ફિક્સ્ડ દરને ફ્લોટિંગ રેટમાં કન્વર્ટ કરી શકે છે. ત્યારે બે વચ્ચેના તફાવતને સમજ્યા પછી જ આ કરવું વધુ સારું રહેશે, એટલે કે ગ્રાહકો પહેલા એ જાણી લે કે તેમને શેમાં ફાયદો કે નુકસાન થઈ રહ્યા છે.
આંકલન આ રીતે સમજો
30 લાખ રૂપિયાના 10 વર્ષ અને 20 વર્ષના સમયગાળાના લોનના ઉદાહરણથી તેને સારી રીતે સમજી શકાય છે. હાલ રેપો-લિંક્ડ ફ્લોટિંગ રેટ પર 10 વર્ષ માટે હોમ લોન લેનારને 1 વર્ષ બાદ વ્યાજ દર વધારવા પર ઈએમઆઈ માટે 1,449 રૂપિયા વધુ આપવાના રહેશે. જ્યારે સંપૂર્ણ લોનના સમયગાળામાં તેમને 1,73,903 રૂપિયા વધુ વ્યાજ આપવાનું રહેશે. મહામારીના કારણે જ્યારે વ્યાજદર ઓછા હતા ત્યારે ફ્લોટિંગ રેટ્સ જ વધારે ફાયદાકાર હતા.
હવે 20 વર્ષના સમયગાળા વાળા લોન પર ફ્લોટિંગ અને ફિક્સ્ડ રેટનો અંતર સમજીઓ તો. આ સમયગાળા માટે તમારે ફ્લોટિંગ રેટ પર 1 વર્ષ બાદ 1,717 રૂપિયા વધારે ઈએમઆઈ આપવાની રહેશે. ત્યાં જ વ્યાજની ચુકવણી 4,12,110 રૂપિયા વધારે કરવાની રહેશે. વધારે વ્યાજદરમાં ફ્લોટિંગની જગ્યા પર ફિક્સ્ડ રેટ પસંદ કરવો સમજદારી વાળો નિર્ણય હશે.