ગાંધીનગરમાં વીજકરંટ લાગવાની મોટી ઘટના બની હતી. ગાંધીનગરના સાંતેજની ફેક્ટરીના શેડની કામગીરી ચાલતી હતી તે દરમિયાન ઘટના બની હતી. વીજ કરંટ લાગતા 5 શ્રમિકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અન્ય 3 શ્રમિકોને શોટ લાગતાં દાઝ્યાં હતા.
ગાંધીનગરના સાંતેજમાં વીજકરંટ લાગતા 5ના મૃત્યુ
ફેક્ટરીના શેડની કામગીરી દરમિયાન બની ઘટના
અન્ય 3 શ્રમિકોને વીજકરંટ લાગતાં દાઝ્યાં
ગાંધીનગર જિલ્લાના સાંતેજ-વડસર રોડ પર આવેલા મિલન એસ્ટેટમાં નવી કંપનીનો શેડ બની રહ્યો હતો. આઠ શ્રમિકો લોખંડની સીડી ઉંચકીને લઇ જઇ રહ્યા હતા આ દરમિયાન ઉપરથી પસાર થતા હાઇટેન્શન વીજવાયરને અડી જતાં દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 5 શ્રમિકોના ઘટનાસ્થળે મોત થયા. જે મૃતકોમાં ચાર મજૂરો અમદાવાદના રહેવાસી છે.
દુર્ઘટનામાં 5 શ્રમિકોના મોત
કાર્તિક બીસે(ઉ.વ.18) -અમદાવાદ
મહેશ વશરામભાઈ ફુલેરા(ઉ.વ.35) -અમદાવાદ
ભાવુજી ઠાકોર(ઉ.વ.32) -અમદાવાદ
પંકજ હિંમતભાઈ વાલીયા(ઉ.વ.35) -અમદાવાદ
બજરંગીરાય નારાયણરાય(ઉ.વ.25) -ઝારખંડ
દુર્ઘટનામાં ઇજાગ્રસ્ત શ્રમિકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને અકસ્માતથી મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.