દિલ્હી: ગાઝીયાબાદમાં 5 માળની બિલ્ડીંગ પડી ગઇ છે. આ ઇમારતમાં કેટલાય મજૂરો દબાયા હોવાની આશંકા છે. પોલીસ અને NDRFની ટીમ રાહત અને બચાવ કામમાં લાગેલી છે. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયુ છે. એક મહિલા અને એક બાળકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી છે. બંનેને દિલ્હી સ્થિત હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ કાટમાળમાંથી 7 જેટલા લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગાઝિયાબાદના જિલ્લા અધિકારીઓ અને SSPને ઘટના સ્થળે તપાસના આદેશ આપ્યા છે અને દોષિતોને વિરૂદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે.
Ghaziabad: NDRF team and dog squad are present at the site where a five-storey building collapsed in Missal Gadi. Search and rescue operation are underway. Seven people have been rescued so far. pic.twitter.com/R0kWEp4Y0j
ગાઝિયાબાદના જીલ્લા અધિકારી મહેશ્વરીએ મૃતકોને 2 લાખ અને ઘાયલોને 50-50 હજાર આપવાની જાહેરાત કરી છે. આ મામલે આઇ. જે. કહ્યુ હતું કે જવાબદારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે આ મામલે ગાઝિયાબાદના કલેક્ટરને 24 કલાકમાં લંબાણ પુર્વક રિપોર્ટ માગી છે. આ સાથે તપાસના આદેશ આપ્યા છે. જો કે મૃતકોને બે લાખ અને ઘાયલ થયેલ લોકોને પચાસ હજાર સુધીની સહાય આપવાની જાહેરાત કરી છે.
Labourers working at the building collapsed in Ghaziabad say'A crack appeared in the column of the building this morning Builder told us to fill the cracks with cement & forced us to continue. We were working on the upper floor the column must have collapsed at the ground floor' pic.twitter.com/fwZTq1XQpX
આપને જણાવી દઇએ કે મુખ્યમંત્રીએ જિલ્લાના પ્રશાસનના બચાવ અને રાહત કાર્યને ઝડપી કરવા નિર્દેશ આપ્યો છે. તેમણે સબંધીત અને જવાબદાર વ્યક્તિઓ સામે FRI કરવામાં આવી છે. આ સાથે દોષિતો સામે પગલા લેવાના આદેશ આપ્યા છે. આ મામલે સ્થાનિક લોકો સાથે વાતચીત કરતા સામે આવ્યું હતું કે બિલ્ડીંગ બનાવવામાં ખરાબ ગુણવત્તા વાળો સામાનનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.