દેશમાં કોરોના વાયરસની ઝપેટમાં આવનારા લોકોની સંખ્યા અને મહામારીથી મોતનો આંક સતત વધી રહ્યો છે. દેશમાં હવે કોરોનાના સંક્રમિત કેસની સંખ્યા 1.32 લાખને પાર થઈ છે તો સાથે જ 3800 દર્દીઓના મોત નીપજ્યા છે. મહામારીની સ્થિતિ કાયમ રહેતાં જ 60 દિવસના લૉકડાઉન બાદ પણ 5 રાજ્યો 75 ટકાની ભાગીદારી સાથે કોરોનાના હૉટસ્પોટ બની રહ્યા છે.
દેશમાં 5 રાજ્યો બન્યા કોરોનાના હૉટસ્પોટ
આ 5 રાજ્યોમાં કુલ 96417 કેસ
મૃત્યુ પામેલા દર્દીમાં 2929 આ પાંચ રાજ્યોના
દેશમાં કોરોના ચેપના 1,31,868 કેસ નોંધાયા છે, જેમાં 96417 ફક્ત મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, તમિળનાડુ અને રાજસ્થાનમાં નોંધાયા છે. આ સિવાય અત્યાર સુધીમાં મૃત્યુ પામેલામાં 3896 લોકોમાંથી 2929 આ પાંચ રાજ્યોના હતા. મહારાષ્ટ્ર સૌથી ચેપગ્રસ્ત રાજ્ય છે, જેની કુલ સંખ્યા 47,190 પર પહોંચી છે. અહીં સુધીમાં 1577 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાતમાં 14063 દર્દીઓ ચેપગ્રસ્ત છે અને 858 લોકો મૃત્યુ પામ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં 12910 લોકો ચેપગ્રસ્ત છે અને 231 લોકોનાં મોત થયા છે. તમિળનાડુમાં, 15512 ચેપગ્રસ્ત છે, પરંતુ માત્ર 103 લોકોના મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજસ્થાનમાં કોરોનાના 6742 કેસ નોંધાયા છે અને અહીં 160 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં મહારાષ્ટ્રમાં પણ સૌથી વધુ સક્રિય 32,209 કેસ છે, જ્યારે ગુજરાતમાં આ સંખ્યા 6793 અને દિલ્હીમાં 6412 છે. તમિળનાડુમાં 7918 કેસ છે, જ્યારે રાજસ્થાનમાં 2796 સક્રિય કેસ છે.