હરિયાણાના કુરૂક્ષેત્ર જિલ્લાના શાહબાદ શહેરના ગામ નલવી નજીક થયેલ માર્ગ દુર્ઘટનામાં પાંચ યુવકોના કરૂણ મોત નિપજ્યાં છે. પાંચ યુવકો કારમાં બેસી ઈસ્માઈલાબાદથી શાહાબાદ તરફ જઇ રહ્યાં હતા. કાર જેવી નલવી ગામ નજીક પહોંચી કે કારે કાબુ ગુમાવ્યો અને રસ્તાની સાઈડમાં રહેલા વૃક્ષ સાથે અથડાઈ.
કુરુક્ષેત્ર જિલ્લામાં નલવી નજીક થયેલ માર્ગ દુર્ઘટનામાં 5ના મોત
કારે કાબુ ગુમાવતા રસ્તાની સાઈડમાં રહેલા વૃક્ષ સાથે અથડાઈ
આ દુર્ઘટનામાં પાંચ યુવકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. આ ઘટના મોડી રાતની છે. સવારે લગભગ પાંચ વાગ્યે પોલીસને માર્ગ દુર્ઘટનાની માહિતી મળી. જોકે, પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી દીધી હતી. મૃતકોની ઓળખ બસંતપુર ગામમાં રહેતા અંકિત પુત્ર ગુલાબ સિંહ, બૃજપાલ પુત્ર ધર્મપાલ, જૈનપુર ગામના રહેવાસી ગુરમીત પુત્ર નસીબ સિંહ, ગૌરીપુરમાં રહેતા ગોલ્ડી પુત્ર ધર્મપાલ અને નલવી ગામમાં રહેતા વિશાલ પુત્ર મદન તરીકે થઇ છે.
પોલીસે કારમાંથી મૃતકના મૃતદેહોને બહાર કાઢ્યા
પોલીસે ભારે પરિશ્રમ કર્યા બાદ કારમાંથી મૃતકોના મૃતદેહોને બહાર કાઢ્યા છે અને પોસ્ટમોર્ટમ માટે એલએનજેપી હોસ્પિટલ મોકલી દીધા છે. બીજી તરફ સુચના મળ્યાં બાદ શાહાબાદના ધારાસભ્ય રામકરણ કાલા ઘટનાસ્થળે પહોંચ્યાં. તેમણે દુર્ઘટના અંગે દુ:ખ દર્શાવી પીડિત પરિવારને શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.