ઉત્તર પ્રદેશના થાના નૌહઝીલના યમુના એક્સપ્રેસ વેના 71 માઈલ સ્ટોન પર બેકાબુ બસ ડ્રાઈવરે ડિવાઈડર તોડતા બસ બીજી સાઈડ પર આવતી કાર સાથે અથડાઈ. આ અકસ્માતમાં કારમાં મુસાફરી કરનારા 4 લોકો અને બસ ચાલકનું મોત થયુ છે.
ઉત્તર પ્રદેશના યમુના એક્સપ્રેસ વે પર બસ કાર સાથે અથડાઈ
કારમાં મુસાફરી કરનારા 4 લોકોના મોત અને બસ ચાલકનું મોત
આંધ્ર પ્રદેશમાં હૈદ્રાબાદ-બેંગલુરૂ હાઈવે પર અકસ્માત
બીજી તરફ આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદ-બેંગલુરૂ હાઈવે પર ભીષણ દુર્ઘટના સર્જાઈ. શુક્રવારે સવારે પામિડી મંડલમાં એક બેકાબુ ટ્રક ડ્રાઈરે એક રીક્ષાને કચડી નાખી. જેમાં ઘટનાસ્થળે 6 લોકોના મોત થયા છે.
કરૂણ અકસ્માત
જો ઉત્તર પ્રદેશની વાત કરીએ તો જાણકારી મુજબ શુક્રવારે સવારે ખાલી બસ નોઈડાથી આગ્રા તરફ જતી હતી. થાના નૌહઝીલ ક્ષેત્રમાં માઈલ સ્ટોન 71 નજીક બસ બેકાબુ થતાં ડિવાઈડર તોડી બીજા રસ્તે આગ્રાથી નોઈડા તરફ જતી કાર સાથે ટકરાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતને કારણે બસ ચાલક અને કારમાં મુસાફરી કરનારા 4 લોકોની મોત ઘટનાસ્થળે થઇ હતી. અકસ્માતની માહિતી મળતા નૌહઝીલ પોલીસ સ્ટેશનના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે કારમાં ફસાયેલા લોકોને એક્સપ્રેસ વેના કર્મચારીઓની મદદથી નિકાળ્યાં તથા તેમના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યાં.
આંધ્ર પ્રદેશમાં ભયાવહ અકસ્માત
તો શુક્રવારે સવારે આંધ્ર પ્રદેશના હૈદ્રાબાદ-બેંગલુરૂ હાઈવે પર પણ દુર્ઘટના સર્જાઈ. જાણકારી મુજબ, અનંતપુરમાં રીક્ષામાં ખેડૂતો ખેતરમાં મજૂરી કામ કરવા જઇ રહ્યાં હતા. આ દરમ્યાન ગતિથી આવી રહેલી ટ્રકે પાછળથી રીક્ષાને ટક્કર મારી હતી. આ ઘટનામાં ઘણાં લોકો ઘાયલ પણ થયા.
કારમાં બેઠેલા લોકોની ઓળખ કરવાની હજુ બાકી
મથુરાના એસપી દેહાત શ્રીશચંદે જણાવ્યું કે ખાલી બસ આગ્રાથી નોઈડા જતી હતી. બસ ચાલકને ઝોકુ આવતા બસ બેકાબુ બની હતી. જેને કારણે ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ બીજી બાજુ જઇ રહેલી કાર સાથે અથડાઈ. કારમાં બેઠેલા 4 લોકોના મોત થયા છે. કારમાં બેઠેલા લોકો ગાજિયાબાદથી આવી રહ્યાં હતા.