બિહારમાં દારૂબંધી માત્ર નામની છે. કડક કાયદા અને નિયમો હોવા છતાં પણ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ, જેના કારણે દરરોજ દારૂ પીને મરી જનારા લોકોના આંકડા સામે આવે છે.
બિહારમાં નીતિશ સરકારના આકરાં પ્રતિબંધો છતાં રાજ્યમાં દારૂનો ચલણ અને દારૂ પીવાથી મરનારા લોકોની સંખ્યામાં જરાં પણ ઘટાડો થતો નથી. ત્યારે હવે ફરી એક વાર બક્સર જિલ્લામાંથી એક દુ:ખદ ઘટના સામે આવી છે. જ્યાં બુધવારે મોડી રાતે 5 લોકોના સંદિગ્ધ અવસ્થામાં મોત થયા છે. તો વળી ત્રણ લોકોની હાલત અતિ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
26 જાન્યુઆરીની રાતે દારૂ ખરીદીને કરી હતી પાર્ટી
હકીકતમાં આ દુ:ખદ ઘટના બક્સર જિલ્લાના ડુમરાંવના આમસારી ગામની છે. જ્યાં મામલાની જાણકારી આપતા મૃતકોના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, 8 લોકો ગણતંત્ર દિવસ એટલે કે, 26 જાન્યુઆરીની રાતે ગામમાંથી પહેલા દારૂ ખરીદીને લાવ્યા અને પછી ખેતરની વચ્ચે બેસીને આઠેય લોકોએ દારૂની પાર્ટી કરી હતી. ત્યાર બાદ તેઓ ઘરે જતાં રહ્યા હતા અને અડઘી રાત બાદ તબિયત ખરાબ થઈ હતી. ફટાફટ તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પણ 5 જણાયે તો રસ્તામાં જ દમ તોડી નાખ્યો હતો. જ્યારે ત્રણની હાલત હજૂ પણ ગંભીર છે.
Bihar: Around six people died in Amsari village, Buxar last night under mysterious circumstances. Police investigation has begun.
"This happened due to spurious liquor. What is the admn doing? If there is a liquor ban, how are they getting it?" relatives of the deceased say. pic.twitter.com/MRZjLRj8iF
ગ્રામિણ લોકોની વાત માનીએ તો, દારૂનો કાળો કારોબાર અહીં ધૂમ ચાલી રહ્યો છે. એટલું જ નહીં અહીં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આ મામલે ગામલોકોએ બક્સર જિલ્લાના એપસી અને સ્થાનિક પોલીસને જાણ કરી પણ તે લોકો આ વાતને સ્વિકારવા તૈયાર નથી. એસપી નિરજ કુમારનું કહેવું છે કે, આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છીએ. પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. શરૂઆત જાણકારીમાં મોતનું કારણ જાણવા મળ્યુ નથી. જો ગામમાં કોઈના પણ ઘરમાંથી દારૂ મળી આવશે, તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
બે મહિનામાં બિહારમાં 50થી વધારે લોકોના થયાં છે મોત
આપને જણાવી દઈએ કે, બિહારમાં દારૂબંધી માત્ર નામની જ છે. પણ તેમ છતાં પણ ગામથી લઈને શહેરોમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. દરરોજ દારૂ પીવાથી કેટલાય લોકોના મોત થઈ રહ્યા છે. હાલમાં જ એક અઠવાડીયા પહેલા નાલંદા જિલ્લાના સોહરાયમાં ઝેરી દારૂ પીવાથી 11 લોકોના મોત થઈ ગયા હતા. એટલું જ નહી આ અગાઉ પણ ગોપાલગંજ જિલ્લામાં ઝેરી દારૂ પીવાથી 40 લોકોના મોત થઈ ગયા હતા. આ મામલે ખુદ મુખ્યમંત્રી નીતિશ કુમારે પોલીસ સ્ટેશનના પ્રભારીને હટાવી દેવાના આદેશ આપ્યા હતાં.