મધ્ય પ્રદેશના શહડોલ ખાતે આવેલી માટીની ખાણ ધસવાથી 5 લોકોના કમકમાટીભર્યા મોત થયા હતા. આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા 6 લોકોની હાલત ખૂબ જ ગંભીર હોવાનું પણ સામે આવ્યું છે.
મધ્યપ્રદેશમાં બની મોટી દુર્ઘટના
ખાણમાં માટી ધસી પડતા 5 શ્રમિકોના મોત
આ ઘટનાને પગલે ખાણમાં આશરે બે ડઝન જેટલા લોકો ફસાયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ ઘટનાસ્થળે યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કાર્ય ચાલું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે આ ઘટનાને લઇને દુ:ખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. શહડોલ જિલ્લાના પપરેડી ગામમાં આ દુર્ઘટના ઘટી છે.
5 શ્રમિકોના કમકમાટીભર્યા મોત
ઉલ્લેખનીય છે કે, શહડોલ જિલ્લામાં પપરેડી ગામમાં આ દુર્ઘટના બની હતી. આ વિસ્તાર વ્યોહારી પોલીસ સ્ટેશન હેઠળ આવે છે. અહીં કેટલીક ખાણ ધસી પડવાને કારણે 5 લોકોના મોત થયાં છે તો અનેક લોકો ઘાયલ થયાં છે. હાલ બચાવ કાર્ય આ સ્થળે ચાલી રહ્યું છે.
Five people lost their lives & at least three others sustained injuries after a mound of soil collapsed at a quarry in Beohari area of Shahdol district in Madhya Pradesh. More details awaited. pic.twitter.com/ktDQ42T7pH
આ ખાણમાં ખોદકામ ચાલી રહ્યું હતું. ઘટના સ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો તથા શ્રમિકો હાજર હતા ત્યાં અચાનક માટી ધસી પડી અને જોતજોતામાં કામ કરતા કેટલાક શ્રમિકો તેમાં દટાયા હતા. આ ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી.