મહારાષ્ટ્રના જલગાંવના ભુસાવલ શહેરમાં ભાજપના નગર સેવક રવિન્દ્ર ખરાતની હત્યા કરી દેવામાં આવી છે. રવિન્દ્ર ખરાત સાથે તેમના પરિવારના અન્ય 4 લોકોની પણ હત્યા કરી દેવામાં આવી છે. હુમલાખોર ભાજપ નેતાના ઘરમાં ઘુસી ગયા અને ફાયરિંગ કર્યું હતું. કેટલાક લોકો પર ચપ્પુથી હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ તમામને સારવાર અર્થે લઈ જવામાં આવી રહ્યા હતા ત્યારે મોત નિપજ્યું હતું.
જલગાંવમાં BJP નેતા રવિન્દ્ર ખરાત પર હુમલો
ખરાત સહિત પરિવારના 5 સભ્યોના મૃત્યુ
બદમાશોએ ફાયરિંગ બાદ ચપ્પાથી રહેંસ્યું ગળુ
હોસ્પિટલ લઈ જતી સમયે નીપજ્યા ઘાયલોના મોત
આ રીતે બની સમગ્ર ઘટના
ઘટના રવિવાર રાત્રે 9 વાગ્યાની છે. જ્યારે રવિન્દ્ર ખરાત પોતાના ઘરની બહાર બેઠા હતા. ત્યારે બે આરોપીઓએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. જેમાં ગંભીર રીતે ઘાયલ થતાં તેમનું મોત નિપજ્યું હતું. તો ફાયરિંગનો અવાજ સંભળાતા તેમના ભાઈ સુનિલ ખરાત બહાર આવ્યા હતા. ત્યારે હુમલાખોરે તેમના પર પણ ફાયરિંગ કર્યું. ત્યાર બાદ હુમલાખોરોએ રવિન્દ્ર ખરાતના બન્ને દીકરા રોહિત અને પ્રેમ સાગર તેમજ તેના એક મિત્ર પર પણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં રવિન્દ્રની પત્ની પણ ગંભીર રીતે ઘાયલ છે. જેની સારવાર ચાલી રહી છે. આ ઘટના પછી પોલીસ પ્રશાસન પર અનેક સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે.
Maharahstra:BJP leader Ravindra Kharat,3 members of his family&his son's friend, died after being attacked by unidentified miscreants in Bhusawal, Jalgaon. Police say,'Miscreants fired at deceased people&attacked them with knives outside their house,3 arrested, probe on.' (06.10) pic.twitter.com/ZjAmL6V5h6
હુમલામાં રવિન્દ્ર ખરાતના બંને દીકરાઓ સહિત દોસ્ત પણ ગંભીર રીતે ઘવાયો હતો. આ ત્રણેયને તરત જ જલગાંવ સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાવવા લઈ જવાયા પરંતુ રસ્તામાં જ તેમનું મોત નીપજ્યું હતું.ઉલ્લેખનીય છે કે આ ઘટનાના અડધા કલાક બાજ જલગાંવના પોલીસ વિભાગના 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ભુસાવળમાં વધ્યો પોલીસ બંદોબસ્ત
ઘટના સમયે સામસામે બચાવપક્ષ થઈ રહ્યો હતો તેમાં બે આરોપીઓ પણ ઘાયલ થયા હતા. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. ભુસાવળ શહેરના સમતા નગરમાં પોલીસનો બંદોબસ્ત વધી ગયો છે. પોલીસના સૂત્રો અનુસાર અંદરોઅંદરની અદાવતમાં તેમની હત્યા થઈ છે. પોલીસ અધિક્ષક પંજાબરાવ ઉગલેએ કહ્યું કે આ ઘટના બાદ શહેરમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે.