રાજ્યના સામાન્ય નાગરિકોને સૌથી ઝડપી અને આર્થિક રીતે પરવડે તેવી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર જુદા-જુદા પ્રવાસન સ્થળો સહીત નાના શહેરોને મોટા શહેરો સાથે જોડશે.
અમદાવાદ-રાજકોટ-ભૂજ-અમરેલી હવાઈ સેવા
રાજ્ય સરકાર નાના શહેરોને પણ જોડશે આ સેવામાં
રોજગારી વધવા સાથે પ્રવાસનને પણ મળશે વેગ
ગુજરાતમાં હવે અમદાવાદ,અને સુરતથી પાંચ નવી હવાઈ સેવાનો પ્રારંભ થશે. આ વિમાન અમદાવાદથી ભૂજ, સુરતથી ભાવનગર,સૂરતથી અમરેલીઅને સુરતથી રાજકોટ ની શરૂઆત થશે. જેમાં મુસાફરોએ રૂપિયા 3500થી 5 હજાર સુધીની યાત્રા ટીકીટમાં મુસાફરી કરી શકશે. રાજ્યમાં પ્રાદેશિક હવાઈ સેવાને ઉત્તેજન આપવાની દિશામાં રાજ્ય સરકારનું આ મહત્વનું પગલું છે.નાગરિક ઉડડયન મંત્રી પૂર્ણેશ મોદીએ આ મહત્વના નિર્ણયની ઘોષણા કરી હતી.
સસ્તું ભાડું 'ને ઝડપી યાત્રા
નાગરિક ઉડડયન મંત્રીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના સામાન્ય નાગરિકોને સૌથી ઝડપી અને આર્થિક રીતે પરવડે તેવી પરિવહન સેવા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકારે જુદા-જુદા પ્રવાસન સ્થળો સહીત નાના શહેરોને મોટા શહેરો સાથે જોડવા પ્રાદેશિક હવાઈ સેવાનો પ્રારંભ કરવાનું આયોજન કર્યું છે.ઉડડયન વિભાગ,રાજ્યના સામાન્ય નાગરિકોને હવાઈ ક્ષેત્રે શ્રેષ્ઠ કનેકટીવીટી અને સુવિધાઓ આપવા સતત પ્રયત્નશીલ છે. ગુજરાતના શહેરોને જોડવા રાજ્યની VGF યોજના હેઠળ આ સેવા આરંભ કરવાનો નિર્ણય કર્યો છે.જેમાં અમદાવાદ-ભુજ માટે 50 બેઠકોની ક્ષમતા વાળા વિમાનની સુવિધા મળશે. તો સુરતથી ભાવનગર માટે 9 બેઠકની ક્ષમતા ,સુરતથી અમરેલી માટે 9 બેઠક,સુરતથી રાજકોટ 9 બેઠક, અને સુરતથી અમદાવાદ માટે 9 બેઠકની ક્ષમતાવાળા વિમાન રહેશે. આ હવાઈ સેવા મુસાફરોને વાજબી ભાવથી ઉપલબ્ધ થશે.
નાના શહેરોને પણ જોડશે હવાઈ સેવા
ઉડડયન મંત્રીએ કહ્યું કે, તમામ માર્ગે દ્વિતીય શ્રેણી અને તૃતીય શ્રેણીનાં શહેરોને જોડી શકાશે.રાજ્ય સરકાર તરફથી ત્રીજી શ્રેણી અને ચોથી શ્રેણીના શહેરોને જોડવા માટે આગામી સમયમાં હવાઈ સેવાનો પ્રારંભ થશે. હાલના સમયમાં રાજ્યમાં,ભારત સરકારની RCS-ઉડાન અને રાજ્યની યોજના અંતર્ગત 10 એયર પોર્ટ અને 20 માર્ગો પર સંચાલન કરી શકાશે.આ સેવા અંતર્ગત ટીકીટના દર સમય પ્રમાણે વધુમાં વધુ 3500 થી 5 હજાર સુધી રહેશે.
રોજગારી વધશે-પ્રવાસનને મળશે વેગ
તેઓએ કહ્યું કે, આ હવાઈ સેવાઓનોઈ પ્રારંભ થતા સ્થાનિક લોકોને એયર પોર્ટ પર રોજગારી મળશે.અર્થ વ્યવસ્થાને ગતિ મળશે.અને રાજ્યના પ્રવાસનને પણ વેગ મળશે. આ જ કારણે વિદેશી પ્રવાસીઓ વધુમાં વધુ સ્થળોની મુલાકાત લઇ શકશે. ગુજરાત ઔધોગિક રાજ્ય છે અને ઉધોગપતિઓની અમદાવાદથી સુરત,રાજકોટ,અમરેલી,ભાવનગર અને કચ્છની અવર-જવર રહેતી હોય છે.પ્રાદેશિક હવાઈ સેવાનો પ્રારંભ થવાથી ના માત્ર સમય જ બચશે,પરંતુ વધુમાં વધુ પ્રવાસીઓ વધુના પ્રવાસન સ્થળો માણી શકશે.