રાજકોટમાં બારદાનમાં લાગેલી આગના કારણે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે વધુ 5 આરોપીઓની ધરપકડ કરી છે. બારદાન બારોબાર વેચી નાખવા મામલે પોલીસે મુખ્ય આરોપી મગન ઝાલાવાડિયાની મંગળવારે ધરપકડ કરી હતી.
મગન ઝાલાવાડિયાની ધરપકડ બાદ પોલીસે મનસુખ લીંબાસિયા કાનજી ઢોલરિયા નીરજ ગજેરા પરેશ સંખારવા અને કાળુ ઝાપડાની પણ ધરપકડ કરી છે. આ કૌભાંડમાં મગન ઝાલાવાડિયાના સગા-સબંઘીઓ અને મળતિયા સંડોવાયેલા હોવાનુ તારણ સામે આવ્યુ છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં બારદાન સળગવા મામલે 8 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. સૌરાષ્ટ્ર વેર હાઉસના મેનેજર મગન ઝાલાવાડિયા સહિત પોલીસે 8 શખ્સ વિરૂદ્ધ સરકારી રેકોર્ડ સાથે ચેડા કરવા મામલે ફરિયાદ નોંધી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ હતી
મળતી માહિતી મુજબ આશરે પાંચ મહિના પહેલા મગફળીના બારદાનના ગોડાઉનમાં આગ લાગી હતી. જેમાં આશરે 17 કરોડ રૂપિયાન બારદાન બળીને ખાખ થઇ ગયા હતા.
જ્યારે બચેલા બારદાનને રૂ.15.80 લાખમાં વેચવામાં આવ્યા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. રાજકોટ પી ડિવિઝન પોલીસે ગુજકોટના સૌરાષ્ટ્ર એરિયા મેનેજર મગન ઝાલાવાડીયા ગુજકોટના મેનેજર મનોજ સહિત આઠ લોકો સામે ફરિયાદ નોંધાઇ હતી.