નાગપુરમાં એક જ કુટુંબના પાંચ સભ્યોની હત્યાનો મામલો સામે આવ્યો છે નાગપુરમાં એક જ પરિવારના પાંચ સભ્યોની તિક્ષણ હથિયારો વડે હત્યા કરી દેવામાં આવી છે. જેમાં 55 વર્ષીય કમલાકર પવનકર તેની પત્ની પુત્રી વૃદ્ધ માતા સાળાના ચાર વર્ષીય પુત્રની હત્યાની આજે સવારે જાણ થતા ખળભળાટ મચી ગયો હતો.
કૌટુંબિક વિવાદને લીધે સંબંધીએ જ સામુહિક હત્યા કરી હોવાની શંકા છે. નંદનવન પોલીસે કમલાકર મોતીરામ પવનકર અને તેની પત્ની અર્ચના પુત્રી વેદાંતી ૭૦ વર્ષીય માતા મીરાબાઈ અને સાળા વિવેક પાલટકરના ચાર વર્ષીય પુત્ર કૃષ્ણની હત્યાના આરોપસર શંકાના આધારે વિવેક સામે જ કેસ દાખલ કર્યો છે. પોલીસે ફરાર વિવેકને પકડવા વધુ તપાસ હાથ ધરી છે.
નાગપુર સ્થિત આરાધના નગરમાં ગઈ કાલે રાતે આ કમકમાટીભરી ઘટના બની હતી. ઘરમાં બેડરૃમમાં પલંગ પર લોહીના ખાબોચિયામાં ચાર લાશ અને રસોડમાં જમીન પર વૃદ્ધાનો મૃતદેહ મળ્યો હતો. બીજીતરફ અન્ય રૃમમાં સૂતેલી કમલાકરની પુત્રી વૈષ્ણવી અને સાળાની પુત્રી બચી ગઈ હતી.
આરાધના નગરમાં દુકાન ધરાવતા કમલાકર રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો અને પ્રોપર્ટી ડીલિંગનો વ્યવસાય કરતો હોવાનું કહેવાય છે. કૌટુંબિક અને પ્રોપર્ટીના વિવાદને લીધે આ હત્યાઓ કરવામાં આવી હોવાની ચર્ચા થતી હતી. નાગપુરના ઝોનૃ૪ના ડીસીપી નિલેશ ભરણેએ જણાવ્યું હતું કે 'મૃતક કમલાકરનો સાળો વિવેક પાલટકર જ આ ગુનામાં સંડોવાયેલો હોવાની શંકા છે.
પત્નીની હત્યાના કેસમાં વિવેક જેલમાં હતો તેના પુત્ર કૃષ્મ અને પુત્રીની દેખરેખ કમલાકરનો પરિવાર રાખતો હતો. તેને પુત્ર-પુત્રી પાછા જોતા હતા. આ મુદ્દે કદાચ તેમનો ઝઘડો શરૃ હતો. કદાચ ઓળખમાં ભૂલ થતા વિવેકે બેડરૃમમાં સૂતેલા તેના પુત્રની પણ હત્યા કરી હોવાની શંકા છે.