અંકલેશ્વરના બોરભાઠા બેટ ગામ પાસે નર્મદા નદી નહાવા પડેલા જૂના દિવા ગામના પાંચ પૈકી ત્રણ મિત્રો ડૂબી ગયા હતા. અંકલેશ્વર નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ અને સ્થાનિક નાવિકોની સઘન શોધખોળ આરંભી હતી.
રવિવારની રજા નર્મદા નદીમાં ન્હાવા માટે ગયેલા જૂના દિવા ગામના ૫ મિત્રો પૈકી ૩ મિત્રો દરિયાની ભરતીના પાણીમાં નર્મદામાં તણાઇ ગયા હતા. બપોરે નહાવા ગયેલા મિત્રો નર્મદા ઓછા પાણીમાં ચાલી ભરૂચ તરફના કિનારા સુધી પહોંચ્યા હતા જ્યાંથી પરત આવી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ભરતીનું પાણી વધવા લાગતા તમામ મિત્રો બહાર નીકળવા માટે ઝડપ વધારી હતી.
પાંચ મિત્રો પૈકી માત્ર રોશન પટેલને તરતા આવડતું હતું. જે પ્રથમ યતિન પટેલને બચાવી લીધો હતો. બીજા મિત્ર વિનય પટેલ, શિવ ભરડીવાલા, અને અનિરુદ્ધ રાજને બચવા જતા પાણી વધતા તણાઇ ગયા હતા.
રોશને આ અંગે ગામમાં જાણ કરતા ગ્રામજનો જૂના બોરભાઠા નજીક હંસદેવ આશ્રમ પાસે દોડી આવ્યા હતા અને પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અંકલેશ્વર શહેર પોલીસ તેમજ ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.