પ્રયાગરાજના થરવાઈના ખૈવજપુર ગામમાં એક જ પરિવારના પાંચ લોકોની નિર્દયી હત્યા . દંપત્તિ, પુત્રવધૂ અને 2 વર્ષની પૌત્રીનો તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા
ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં નિર્દયી હત્યા
એક જ પરિવારના 5 લોકોની હત્યા
પોલીસે ઘટના સ્થળે જિ હાથ ધરી તપાસ
ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજમાં એક જ પરિવારના પાંચ સભ્યોની ઘાતકી હત્યા થતા ચકચાર મચી છે. પ્રયાગરાજના થરવાઈના ખૈવજપુર ગામમાં એક જ પરિવારના પાંચ લોકોની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. આ દંપતીમાં તેમની પુત્રવધૂ અને 2 વર્ષની પૌત્રીનો સમાવેશ થાય છે. તમામ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. જે મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશનો કબ્જો મેળવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
હત્યાને અંજામ આપી સળગાવ્યો રૂમ
આ એટલી નિર્દય રીતે હત્યા કરવામાં આવી હતી કે હત્યારાઓએ આ બનાવ બાદ ઘરના એક રુમમાં આગ લગાડી દીધી. સવારે જ્યારે લોકોએ ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો તેઓ ઘટના સ્થળે પહોંચ્યા. જે બાદ ઘટનાનો પર્દાફાશ થયો હતો. મૃતકોમાં રામ કુમાર યાદવ (55), તેમની પત્ની કુસુમ દેવી (52), પુત્રી મનીષા (25), પુત્રવધૂ સવિતા (27) અને પૌત્રી મીનાક્ષી (2)નો સમાવેશ થાય છે. જ્યારે અન્ય એક પૌત્રી સાક્ષી (5) જીવિત મળી આવી છે. આ હત્યા કોણે અને શા માટે કરી તે અંગે હાલ કંઈ જાણવા મળ્યું નથી. પોલીસ અધિકારીઓ હાલ ઘટના સ્થળે તપાસ કરી રહ્યા છે.
અગાઉ 16 એપ્રિલે બન્યો હતો આપઘાતનો બનાવ
આ પહેલા 16 એપ્રિલના રોજ પ્રયાગરાજના નવાબગંજના ખગલપુર ગામમાં પ્રીતિ તિવારી અને તેની ત્રણ પુત્રીઓ માહી, પીહુ અને કુહુ ની ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી જ્યારે પતિ રાહુલ તિવારીની લટકતી લાશ મળી હતી. તમામના મૃતદેહ ઘરની અંદર પડેલા મળી આવ્યા હતા. ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી, જેમાં ઘટના માટે સાસરિયાઓને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. પોલીસે સુસાઇડ નોટના આધારે ચાર લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.