યુપીના પ્રતાપગઢમાં એક લગ્ન પ્રસંગમાંથી પાછા ફરી રહેલા પરિવારના 5 સભ્યોનું રોડ અકસ્માતમાં મોત થતા ખળભળાટ મળી ગયો છે.
લગ્ન પ્રસંગમાંથી એક જ બાઈક પર પાછા ફરી રહ્યા હતા 5 લોકો
એક જ પરિવારના 5 સભ્યોનું રોડ અકસ્માતમાં મોત
હિટ એન્ડ રન કેસમાં ટક્કર મારનાર વાહનની શોધ ચાલુ
એક જ પરિવારના 5 સભ્યોનું રોડ અકસ્માતમાં મોત
ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં એક લગ્ન સમારોહમાંથી પાછા ફરી રહેલા પરિવારના 5 સભ્યોનું રોડ અકસ્માતમાં મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારી હતી. મળતી માહિતી અનુસાર પ્રતાપગઢના નવાબગંજના બુદ્રોના ગામમાં રહેનારા રામસરન પાલ(60), તેમના 2 પુત્ર, એક ભાણી અને એક અન્ય સંબંધી એક જ બાઈક પર લગ્ન પ્રસંગમાંથી પાછા ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહને તેમને ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. આ ઘટના શ્રૃંગવેરપુર હાઈ પર બની છે.
હિટ એન્ડ રન કેસમાં ટક્કર મારનાર વાહનની શોધ ચાલુ
ઘટનાની સૂચના મલતા જ બુર્દોના ગામમાં ખળભળાટ મચી ગયો. ગામમાં રામસરન પાલના ઘરે ગ્રામીણો અને શુભચિંતકોની ભીડ ભેગી થઈ. દુર્ઘટનાની સૂચના પર સ્થળ પર પહોંચેલ 5 લાશોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ગામમાં દરેક આ ઘટનાને લઈને હચમચી ગયું છે. લોકો એક જ બાઈક પર 5 લોકોના પાછા ફરવા પર પણ અફસોસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. લોકોનું કહેવું છે કે ઠંડી રાતમાં એક જ બાઈક પર પાછા ફરી રહેલા લોકોનું બાઈક પર સારુ બેલેન્સ ન રહી શકે. જો એક જ બાઈક પર આટલા લોકો ન હોત તો કદાચ દુર્ઘટના ન થતી. બીજી તરફ પોલીસનું કહેવું છે કે બાઈકને ટક્કર મારી ભાગી જનારા વાહનની શોધખોળ ચાલું છે.