વડોદરાનો રહસ્યમય રીતે ગુમ થયેલા પરિવારની કાર ડભોઈની શંકરપુરા બ્રાન્ચ કેનાલમાં ડૂબેલી અવસ્થામાં મળી આવી હતી. કારમાં જ પરિજનોના મૃતદેહ મળી આવ્યાં હતા. મહત્વનું છે કે 2 દિવસ પહેલા આ પરિવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયો હતો.
વડોદરાના એક જ પરિવારના પાંચ સભ્યોના મોત
ગુમ પરિવારની કેનલમાંથી કાર મળી આવી હતી
પરિવારના 4 સભ્યોની એકસાથે અંતિમયાત્રા નીકળી
વડોદરાના કલ્પેશભાઈ પરમારના પરિવારના પાંચ લોકોના મોત થયા હતા. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા ગયેલા આ પરિવારની કાર ડભોઈની શંકરપુરા બ્રાન્ચ કેનાલમાંથી મળી આવી હતી. જેમાં કાર સાથે પરિવારના ચાર સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. તો કલ્પેશભાઈના પત્નીનો મૃતદેહ કેનાલમાંથી આજે મળી આવ્યો છે. આજ રોજ પરિવારના ચાર સભ્યોની એકસાથે અંતિમ યાત્રા નીકળી હતી. પરિવાર અને આસપાસના તમામ લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. સમગ્ર પંથક કરૂણ આક્રંદથી ધ્રુજી ઉઠ્યો હતો. આંખ સામે આખા પરિવારના મૃતદેહ જોઇને કલ્પેશભાઈના દાદા ભાઈલાલભાઈ ભાંગી પડ્યા હતા.
શું બની હતી ઘટના?
વડોદરાના નવાપુરા વિસ્તારમાં રહેતો કલ્પેશકુમાર ચંદુભાઈ પરમાર પોતે સ્ક્રીન પેઈન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. કલ્પેશ ફરવાનો શોખી હોવાથી અનેક વખત પોતાના પરિવાર સાથે પિકનિકમાં બોમ્બે, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતની જગ્યા પર ફરવા જતો હતો. પરંતુ 1 માર્ચે વડોદરાથી પરમાર પરિવાર પતિ, પત્ની બે બાળકો અને માતા વહેલી સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે નીકળ્યા હતા.
ક્યાં ક્યાં ગયો હતો પરિવાર?
પરંતુ રાત્રે પરત ન આવતા પરિવારજનોએ નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેને લઇને નર્મદા પોલીસ દ્વારા છ અલગ અલગ ટીમો બનાવી છેલ્લા ચાર દિવસથી શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ દ્વારા મોબાઈલ લોકેશન તેમજ GPS સર્વેલન્સની મદદ લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ પરમાર પરિવાર ડભોઈની જયવીર હોટેલમાં રાત્રિનું ભોજન કર્યા બાદ વડોદરા તરફ ગયા હતા. પરંતુ પરિવારમાં શું થયું કે અલ્ટો ગાડી લઈને નીકળેલા પરિવાર ફરી પાછો ડભોઇ તરફ વળીને યાત્રાધામ ચાંદોદ જવાના મધ્યમાં આવેલી શંકરપુરા બ્રાન્ચ કેનાલમાં અગમ્ય કારણોસર આ કાર ખાબકી ગયાનું અનુમાન પોલીસ દ્વારા સેવવામાં આવી રહ્યું છે.
ક્યાંથી મળી કાર?
જેને લઇ આજરોજ નર્મદા ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પોતાના સ્થાનિક તરવૈયાઓને લઈને ડભોઇ શંકરપુરા ખાતેથી પસાર થતી બ્રાન્ચ કેનાલમાં શોધખોળ હાથ ધરાઇ હતી. જે દરમિયાન ગુમ થયેલા 1. કલ્પેશકુમાર પરમાર 2. પત્ની તૃપ્તિબેન પરમાર 3. પુત્રી નિયતિ પરમાર 4. પુત્ર અર્થવ પરમાર અને માતા ઉષાબેન પરમાર અલ્ટો કાર જીજે 06 કેપી 7204 કેનાલના ઉંડા પાણીમાંથી મળી આવ્યા હતા. નર્મદા પોલીસ દ્વારા ફરિયાદના આધારે પુષ્ટિ કરવામાં આવી હતી કે જે પરિવાર ગુમ થયો હતો તે આ જ છે. જેને લઇને ના પરિવારજનોને જાણ કરતાં જ પરિવારજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. દુઃખના આક્રંદ સાથેના દ્રશ્યો જોવા મળ્યા હતા. પરંતુ તો કલ્પેશભાઈના પત્ની તૃપ્તિ પરમાર ન દેખાતા પોલીસે શંકરપુરા બ્રાન્ચ કેનાલની તમામ ગેટ ઉપર પોલીસની વોચ ગોઠવી હતી. તૃપ્તિ પરમારનો મૃતદેહ પાંચ કિલોમીટર દૂર કેનાલમાંથી આજે મળી આવ્યો છે. હવે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
મહત્વની વાત એ છે કે હસતો ખેડૂતો આ પરિવારને એકદમ શું થયું ? આ ઘટનાને લઈને પરિવારમાં શોકની લાગણી તો પછી જવા પામી છે. પરંતુ તેઓના પિતા હાલ પરિવાર વિના થઇ ગયા છે. હાલ પોલીસ તપાસ કરી રહી છે પરંતુ આગામી દિવસોના અંદર શું વળાંક આવે છે તેના ઉપર પરિવારની નજર રહેશે.