શહેરમાં દસ દિવસમાં હત્યાનો પાંચમો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલા વટવાના રેલવે ક્રોસીંગ પાસેથી મળેલી યુવકની લાશના કિસ્સામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ હત્યા થઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. શરીર પરથી ઇજાના નિશાન મળી આવતા વટવા પોલીસે અંતે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસ તપાસ દરમિયાન યુવકનું નામ સુનિલદત્ત હોવાનું ખુલ્યું હતુ.
વટવા જીઆઈડીસી વિસ્તારમાં નોકરી કરતા સુનિલના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. તેની હત્યા કરી રીતે થઇ તે અંગે તજવીજ ચાલુ છે. તેમજ અનેક સવાલો હજુ અકબંધ છે.
વટવા રેલવે સ્ટેશન નજીક આવેલ વિંઝોલ ફાટક પાસેથી બે દિવસ પહેલાં એક યુવકની લાશ મળી આવી હતી. રેલવે ટ્રેક પાસેથી લાશ મળી હોવાથી પોલીસે પણ શરૂઆતમાં યુવકે આપઘાત કર્યાનું માની તપાસ શરૂ કરી હતી. જે તે સમયે મૃતકની ઓળખ થઇ ન હતી. દરમિયાન પી.એમ રિપોર્ટમાં યુવકના છાતીના અને હાથના ભાગે ઇજાના નિશાન મળી આવ્યાં હતા. આ ઇજાથી જ યુવકનું મોત નિપજ્યાનો ઘટસ્ફોટ થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો.
પોલીસ તપાસ દરમિયાન યુવકનું નામ સુનિલદત્ત હોવાનું ખુલ્યું હતુ. વટવા જીઆઈડીસી વિસ્તારમાં નોકરી કરતા સુનિલના પરિવારમાં પત્ની અને બે દીકરીઓ છે. તે હત્યાની આગલી રાતે ઘરેથી સાબુ લેવા નિકળ્યો હતો. ત્યાર બાદ તેની સાથે શું થયુ તે રહસ્ય પરથી પડદો ઉંચકવા પોલીસે તજવીજ શરૂ કરી છે.
આવા અનેક સવાલો હજુ અકબંધ છે. પરિવારે શંકા વ્યક્ત કરી છે તેના ભાઇને કોઇ વ્યસન ન હતુ તો પછી આ જગ્યા સુધી કેવી રીતે પહોંચ્યો. ત્યારે પોલીસ પણ અસમનજસમાં મુકાઈ છે. હવે જોવુ એ રહ્યુ કે પોલીસ કેટલી જલ્દી પરીવાર જનોને ન્યાય અપાવી હત્યારાને પકડી પાડે છે.