નવાબપુરામાં સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસ ટીમ પર પથ્થર મારો કરનારા 4 આરોપી સહિત 5 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા છે. પાંચમો વ્યક્તિ દિલ્હીના બંદીનો રહેવાસી છે. તેને મૈનાઠેર પોલીસે બિલારી શુગર મિલના જીએમની કાર લુંટવાના મામલામાં 11 એપ્રિલે પકડી જેલ મોકલ્યો હતો.
પોલીસ પર પથ્થરમારો કરનારા 4 સહિત 5 કોરોના પોઝિટિવ
આરોપીઓની ધરપકડ કરનારી પોલીસ ટીમની ચિંતા વધી છે
જેલમાં કોરોનાના કેસ આવતા પોલીસ તંત્ર દોડતુ થયુ છે
જેલામા કોરોનાનો કેસ મળતા લોકોમાં ચિંતા વ્યાપી છે . જેલમાં સુરક્ષાની સાથે સાથે સાવધાની રાખવાના નિર્દેશ કરવામાં આવ્યા છે. પથ્થરબાજોના પોઝિટિવ આવ્યા બાદ તેની ધરપકડ કરનારી પોલીસ ટીમ ચિંતામાં ગરકાવ થઈ છે. તેની ધરપકડમાં 100થી વધારે પોલીસકર્મીઓ અને અધિકારીઓ હાજર હતા.
દેશમાં કોરોનાને રોકવા કામ કરી રહેલા ડૉક્ટર અને સ્વાસ્થ્યકર્મીઓ પણ કોરોના પોઝિટિવ આવતા દેશની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે.