ફિચ રેટિંગ એજન્સીએ એક વાર ફરી નાણાંકીય વર્ષ 2020-21ને માટે ભારતનો આર્થિક વૃદ્ધિ દરના પૂર્વાનુમાનમાં ઘટાડો કર્યો છે. ફિચ એજન્સીએ આ અનુમાન ઘટાડીને 0.8 ટકાનું કર્યું છે. ફિચ એજન્સીએ કહ્યું છે કે કોરોના વાયરસ મહામારી અને લૉકડાઉનના પ્રકોપના કારણે દુનિયા અભૂતપૂર્વ વૈશ્વિક મંદીમાંથી પસાર થઈ રહી છે.
કોરોનામાં અર્થવ્યવસ્થાને પડશે મોટો ફટકો
ફિચ રેટિંગ એજન્સીએ કર્યું અનુમાન
1 ટકાથી પણ ઓછો રહી શકે છે વૃદ્ધિદર
વૈશ્વિક આર્થિક આઉટલુકમાં ફિચ રેટિંગ એજન્સીએ કહ્યું કે ઘરેલૂ ઉત્પાદન (જીડીપી) નો વૃદ્ધિદર એપ્રિલ 2002થી માર્ચ 2021 સુધી 0.8 ટકા સુધી રહેશે. વીતેલા વર્ષના સમયે આ અનુમાન 4.9 ટકાનું હતું. જો કે 2021-22માં વિકાસ દર 6.7 ટકા થવાની આશા છે. 2020 કેલેન્ડર વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં ગ્રોથના 1.4 ટકા સુધી રહેવાની આશા છે.
આ કારણે આવ્યો ઘટાડો
નાણાંકીય વર્ષ 2020-21ના વિકાસદરમાં મુખ્ય રીતે ગ્રાહકોના ખર્ચમાં અનુમાનિત ઘટાડાના કારણે આવ્યો છે. જે ગયા વર્ષે 5.5 ટકાના બદલે 0.3 ટકા રહ્યો હતો. સાથે જ ફિક્સ્ડ રોકાણમાં પણ 3.5 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો હતો.
રેટિંગ એજન્સીનું અનુમાન
રેટિંગ એજન્સીનું અનુમાન છે કે ચાલુ નાણાંકીય વર્ષમાં સતત બે ત્રિમાસિક સમયે નકારાત્મક વૃદ્ધિ રહેશે. એપ્રિલથી જૂન મહિનાને માટે આ -0.2 ટકા અને સાથે જુલાઈથી સપ્ટેમ્બરની તિમાસિક માટે આ -0.1 ટકા રહી શકે છે.
વૈશ્વિક જીડીપી પૂર્વાનુમાનોમાં પણ ઘટાડો
આ સાથે રેટિંગ એજન્સીએ વૈશ્વિક જીડીપીની આગાહીમાં પણ મોટો કાપ મૂક્યો છે. આ સંદર્ભમાં, ફિચ રેટિંગ્સના ચીફ ઇકોનોમિસ્ટ બ્રાયન કલ્ટને કહ્યું હતું કે 2020માં વિશ્વ જીડીપીમાં 3.9 ટકાનો ઘટાડો થવાનો અંદાજ છે, જેની અસર 2009 ના મંદીની બમણી અસર પડશે.
અન્ય એજન્સીઓને આધારે આટલો રહી શકે છે વૃદ્ધિદર
વિશ્વ બેંક અનુસાર દેશનો આર્થિક વૃદ્ધિદર 2020-21માં 1.5 ટકાથી 2.8 ટકા રહી શકે છે. 1991માં આર્થિક સુધારા બાદ કે સૌથી ધીમો વૃદ્ધિદર રહેશે.
એશિયાઈ વિકાસ બેંકે ભારતના આર્થિક વૃદ્ધિદર 2020-2021માં 4 ટકા રહેવાનું અનુમાન કર્યું હતું.
સેંટ્રમ ઈન્સટીટ્યૂશનલ રિસર્ચે પણ 2020-21માં આર્થિક વૃદ્ધિદરનું અનુમાન 5.2 ટકાથી ઘટાડીને 3.1 ટકાનો કર્યો છે.
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે ભારતના વૃદ્ધિદર 1.9 ટકા રહેવાનું તથા વિશ્વબેંકને 1.5 ટકાથી 2.8 ટકાની વચ્ચે રહેવાનું અનુમાન છે.
ક્રેડિટ રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલ રેટિંગ્સે પણ ચાલુ નાણાંકીય વર્ષ માટે ભારતનો વૃદ્ધિદરનું અનુમાન 1.8 ટકા ઘટાડી દીધું છે. કોરોના વાયરસના સંક્રમણને કારણે આવેલી વૈશ્વિક મહામારીના કારણે આ ઘટાડો કરાયો છે. એજન્સીના અનુસાર આ 2021-22માં વધીને 7.5 ટકા રહી શકે છે.