પોંરબદર ખારવા સમાજે આપેલા બંધ સફળ થયો છે. પોરબંદરના ખારવાવાળામાં સજ્જળ બંધ પાળવામાં આવી રહ્યો છે
પોરબંદરના ખારવાવાળામાં સજ્જળ બંધ
ફિસરીઝ હાર્બર-2ના મુદ્દે આપ્યુ છે બંધનું એલાન
કુછડી નજીક હાર્બર બનાવાનો ખારવા સમાજ દ્વારા વિરોધ
પોંરબદર ખારવા સમાજે આપેલા બંધ સફળ થયો છે. પોરબંદરના ખારવાવાળામાં સજ્જળ બંધ પાળવામાં આવી રહ્યો છે. ખારવા સમાજે ફિસરીઝ હાર્બર-2 ( Fishery harbour Phase II )ના મુદ્દે બંધનું એલાન આપ્યુ છે.
શું છે મામલો
કુછડી નજીક હાર્બર બનાવાનો ખારવા સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જેને પગલે પોરબંદરનો તમામ બંદર વિસ્તાર બંધ છે. મસત્યોધોગ સાથે જોડાયેલા ધંધા રોજગાર બંધમાં જોડાયા છે. પોરબંદરમાં આઈસ ફેક્ટરીઓએ પણ બંધ પાળ્યો છે.
શું કહે છે ખારવા સમાજ?
ખારવા સમાજના વાણોટને આધારભુત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, બંદર કુછડી જ બનશે, તેવા સમાચાર ખારવા સમાજને મળતા, ખારવા સમાજનો સખત વિરોધ હોવા છતાં પણ સરકાર તરફથી પોરબંદરથી અંદાજીત 10થી 1ર કી.મી. દુર કુછડી ગામે ફેઇઝ-ર બંદર બનવા જઇ રહ્યું હોય તેનો ખારવા સમાજ સખ્ત વિરોધ કરે છે.
ખારવા સમાજને CM રૂપાણીએ આપ્યું હતુ વચન
એટલું જ નહીં પણ ખારવા સમાજનું કહેવું છે કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વચન આપેલ કે ખારવા સમાજનો વિરોધ હોય તો કુછડી ગામે બંદર નહીં બનાવીએ તેવું અમને વચન આપેલ હતું. તેમના વચન ને માન આપીને ઇતિહાસમાં પ્રથમ વખત ખારવા સમાજે ભાજપને ખુલ્લામાં જાહેર ટેકો આપેલ અને ભાજપમાં જોડાયા હતા.
એક દિવસ માટે બંધનું એલાન
ખારવા સમાજ કહે છે કે, મુખ્યમંત્રીના વચન આપવા છતાં પણઆધારભુત સુત્રો દ્વારા જાણવા મળેલ કે બંદર કુછડી બનાવવાનું નકકી કરેલ હોય તેના વિરોધમાં આજે સોમવારના રોજ એક દિવસ માટે ખારવા સમાજ તેમના મચ્છીને લગતા તમામ કામ ધંધા જેવા કે એકસપોર્ટસ, ડીઝપલ પંપ, આઇસ ફેકટરી, ક્રસર, મચ્છી માર્કેટ, સપ્લાયરો, ડ્રાય ફીશ એશોસીએશન તથા મચ્છીને લગતા તમામ કામ ધંધા બંધ રાખવામાં આવશે અને આ અંગે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવશે. સરકાર દ્વારા વિશ્ર્વાસઘાત થયો હોવાનું સ્પષ્ટપણે જણાઇ રહ્યું છે ત્યારે ચુંટણી ટાણે જ પોરબંદરમાં જુદી-જુદી ચર્ચાઓ જાગી છે.