મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ VTV સાથે ખાસે વાત કરતા કહ્યું કે દીવની ઘટનામાં 3 માછીમારોને બચાવી લેવાયા છે જ્યારે બાકીના 4 માછીમારોની શોધખોળ ચાલી રહી છે.
દરિયામાં માછીમારો ગુમ થવાનો મામલો
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની VTV સાથે વાત
ગુમ માછીમારોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવાઇ
ગુજરાત સહિત આખા ભારત પર કુદરતનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. રાજ્યમાં ડિસેમ્બરનાં મહિનામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે દીવમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે, દરિયામાં ભારે પવનનાં કારણે દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. દરિયાના મોંજા ઉચા ઉછળતા અનેક માછીમારો ફસાયા હતા જેમાં આશરે આઠ જેટલા માછીમારો ગુમ થઈ જતા તંત્ર દોડતું થઈ ગયું છે..
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની VTV સાથે વાત
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર દીવના નવા દરિયામાં કરંટ જેવી સ્થિતિ નિર્માણ થઈ છે, જેમાં બંદર પાસે લાંગરેલી 15 જેટલી બોટ તણાઈ ગઈ હતી.. જ્યારે બોટમાં સવાર 8 ખલાસીઓ ગુમ થઈ ગયા હતા..જેને લઈને માછીમારોને શોધખોળની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.. ભારે પવનના કારણે દરિયાકિનારા વિસ્તારને અસરને ત્યારે સમગ્ર મામલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ VTV સાથે ખાસે વાત કરી હતી.. તેમણે જણાવ્યું કે ગુમ થયેલા માછીમારોને શોધવા માટે હેલિકોપ્ટરની મદદ લેવાઈ રહી છે.. તેમજ દરિયામાંથી 3 માછીમારોને આબાદ બચાવી લેવાયા છે જ્યારે હજુ 4 જેટલા માછીમારોની શોધખોળ ચાલુ છે, માછીમારોને શોધવા નેવી, કોસ્ટગાર્ડ, મદદ લેવામાં આવી રહી છે. ગઈ કાલે ભારે પવનને કારણે ઉનાની 8 જેટલી બોટ દરિયામાં ડૂબી ગઈ હતી.. જે અંગે મુખ્યમંત્રીએ પણ સમગ્ર મામલે માહિતી મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટર સાથે ફોન પર વાત કરી બચાવ-રાહત કામગીરી ઝડપી કરવા સૂચના આપી છે, તો મુખ્ય સચિવ પંકજ કુમારને સ્થિતિ પર નજર રાખવા સૂચના પણ આવી દેવાઈ છે..
બોટ લાંગરવા ગયેલા આશરે 8 જેટલા ખલાસીઓ ગૂમ
નોંધનીય છે કે ગઈકાલે મોડી રાતથી જ દિવમાં વરસાદ પડી રહ્યો છે અને દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. એવામાં ભારે પવન વચ્ચે નવા બંદર પર લાંગરેલી 15 બોટ તણાઇ ગઈ છે. આટલું જ નહીં બંદર પર બોટ લાંગરવા ગયેલા આઠ ખલાસીઓ ગુમ થયા હોવાના સમાચાર પણ પ્રાપ્ત થયા છે. જેમાં ત્રણ માછીમારો બચાવી લેવાયા છે જ્યારે બાકીના ખલાસીઓની શોધખોળ ચાલી રહી છે, દરિયામાં સર્જાયેલી દુઘર્ટનાને પગલે ખલીસીઓના પરિવાર પણ ચિંતામાં મૂકાયા છે.