દરિયો તોફાની બની રહ્યો છે. દરિયાકિનારાના જિલ્લાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આગાહીનાં પગલે આ એલર્ટ આપાવામાં આવ્યા છે. 23 તારીખ સુધી દરિયામા કરંટ યથાવત રહેશે. 700 બોટો દરિયા કિનારે પરત ફરી છે.
23 તારીખ સુધી દરિયામા રહેશે કરંટ યથાવત
તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી બોટને ટોકન ઇસ્યુ કરવામાં નહીં આવે
દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવાઇ
દરિયો તોફાની રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જેને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવામાં આવ્યા છે. અને માછીમારી માટે જતી બોટોને ટોકન આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે. માછીમારી માટે ગયેલી બોટને પણ પરત બોલાવી લેવામાં આવી છે.
રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં 3 નંબરનું સિગ્નલ અપાયુ. અમરેલીમાં જાફરાબાદ, પોરબંદર, ગીરસોમનાથ, દ્વારકા માં 3 નંબરનું સિગ્નલ આપવામાં આવ્યુ
દરિયામાં 23મી સુધી રહેશે કરંટ
ઉત્તર અરબી સમુદ્રમાં લો પ્રેશરથી દરિયો તોફાની બનવાની શક્યતાઓ છે. બે દિવસ સુધી માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દ. ગુજરાતમાં 7.6 કિમીની ઝડપે દરિયાઈ પવન ઉઠવાને કારણે મોજાઓ ઉઠશે જેને કારણે દરિયામાં દેખાવાનું બંધ થઈ શકે છે. 36 કલાક સુધી આ દબાણને કારણે દરિયો ખેડવો જોખમી બનશે.
અમરેલીમાં માછીમોરોને ટોકન આપવાનું બંધ કરાયુ
અમરેલીમાં માછીમારોને ટોકન આપવાનુ બંધ કરી દેવામાં આવ્યું છે. દરિયો ખેડવા ગયેલી બોટોને પરત બોલાવી લેવામાં આવી છે. જાફરાબાદ બંદરની 700 બોટો કિનારે પરત ફરી છે. તંત્ર દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી ટોકન ઈસ્યુ નહીં કરવામાં આવે.
દ્વારકામાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા એલર્ટ
દ્રારકામાં પણ 23 તારીખ સુધી દરિયામા કરંટને લીધે દરિયો ન ખેડવા માટેની ચેતવણી આપવામાં આવી છે. દરિયો તોફાની રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલા લેવાઈ રહ્યા છે.