સાબરકાંઠાના વડાલીમાં મત્સ્યઉધોગ કમિશ્નર પર હુમલો કરવાના કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ત્યારે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરતા કોર્ટે 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા.
સાબરકાંઠાના વડાલીમાં મત્સ્યઉદ્યોગ કમિશ્નર પર હુમલો કરનારા ઝડપાયા
કોર્ટે ત્રણેય આરોપીઓના 2 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
5 શખ્સો સામે નામ જોગ, તેમજ કુલ 10 લોકોના ટોળા સામે નોંધાઈ હતી ફરિયાદ
સાબરકાંઠા અને મહેસાણા બે જીલ્લામાંથી પસાર થતા ધરોઈ જળાશય પર થોડાક સમય અગાઉ મત્સ્યોદ્યોગ કમિશ્નર, નીતીન સાંગવાન ચેકીંગમાં ગયા હતા. તે દરમ્યાન આરોપીઓએ કમિશ્નરને ઘુંટણ પર બચકું ભરી બોલાચાલી કરી હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આ બાબતે વડાલી પોલીસે પાંચ શખ્શો સહિત 12 વ્યક્તિઓનાં ટોળા સામે ફરિયાદ નોધી હતી. જેમાંથી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટેમાં રજૂ કરી રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી.
તપાસ દરમ્યાન ગેરરીતી જણાતા કાર્યવાહિ કરવાની સૂચના આપતા હુમલો
આ બાબતે કમિશ્નરે જણાવ્યું હતું કે તેઓ વડાલીના ધરોઈ જળાશયમાં અંબાવાડા ગામ નજીક ફિશરીંગનો ધંધો ચાલે છે. ત્યારે મત્સ્યોદ્યોગ કમિશ્નર, નિતીન સાંગવાન અને મત્યઉધોગ અધિકારી ડી.એન.પટેલ ફિશિંગ ક્રેઝ કલ્ચરની વિઝીટ માટે ગયા હતા. ત્યાં માછલીઓનો ઉછેર કરનાર ખેડબ્રહ્માને કંથાપુર ગામના માછલી ઉછેર કરનાર બાબુ પરમારને આ બાબતની જાણ થઈ ગઈ હતી. ત્યારે નિતીન સાંગવાનનાં ચેકીંગ દરમ્યાન તેઓને ગેરરીતી જણાતા કાર્યવાહિ કરવાની સૂચના આપી હતી. જેથી બાબુ પરમારે ઉશ્કેરાઈ જઈ કમિશ્નરને પગે બચકું ભર્યું હતું. જેથી ઈજાગ્રસ્ત કમિશ્નરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
કોર્ટે ત્રણ હુમલાખોરનાં 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા
સાબરકાંઠા જીલ્લાનાં વડાવલી ખાતે મત્સ્યોદ્યોગ કમિશ્નર, હુમલા પ્રકરણમાં પોલીસે હુમલો કરનાર નિલેશ ગમાર, દિલીપ પરમાર અને વિષ્ણુભાઈ ગમારને ઝડપી પાડી તેઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓનાં 2 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે હુમલાખોરો દ્વારા કમિશ્નર નિતીન સાંગવાનને બંધક બનાવ્યા હતા. ત્યારે ગુનાની ગંભીરતા જોઈ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.