કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે માછીમારો માટે એક સ્વતંત્ર મંત્રાલયની જરુર છે. મંત્રાલયની અંદરના કોઈ વિભાગની નહીં.
માછીમારો માટે અલગ મંત્રાલયનો મામલો વેગ પકડતો જાય છે.
માછીમારો માટે એક સ્વતંત્ર મંત્રાલયની જરુર
મંત્રાલયની અંદરના કોઈ વિભાગની નહીં.
માછીમારો માટે અલગ મંત્રાલયનો મામલો વેગ પકડતો જાય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે માછીમારો માટે એક સ્વતંત્ર મંત્રાલયની જરુર છે. મંત્રાલયની અંદરના કોઈ વિભાગની નહીં.
પુડુચેરી ખાતેની સભામાં વડાપ્રધાન મોદીના કટાક્ષનો જવાબ આપતા રાહુલે ટ્વિટ કરીને જણાવ્યું કે ડિયર વડાપ્રધાન માછીમારોને એક સ્વતંત્ર અને સમર્પિત મત્સ મંત્રાલયની જરુર છે, કોઈ મંત્રાલયની અંદરના વિભાગની નહીં. રાહુલે કહ્યું કે નિશ્ચિત રીતે હમ દો, અમારે દોથી માઠુ લાગે છે.મને ખરાબ લાગે છે. રાહુલ સરકારની સામે પોતાના તાજેતરના કટાક્ષનો ઉલ્લેખ કરી રહ્યાં હતા જેમાં તેમણે તેમને આક્ષેપ કર્યો હતો કે સરકારને મોદી અને તેમના કોર્પોરેટ દોસ્ત ચલાવી રહ્યાં છે.
પુડુચેરીમાં એક જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના નેતા કહી રહ્યાં છે કે અમારે માછીમારો માટે અલગ મંત્રાલય બનાવવું જોઈએ. મને તો ભારે આઘઆત લાગ્યો, સત્ય એ છે કે હાલની એનડીએ સરકારે 2019 માં માછીમારો માટે મંત્રાલયની રચના કરી હતી.