આવકવેરો ભરનાર કરદાતાની સંખ્યાંમાં વર્ષ 2018-2019માં ઘટાડો થવાની આશંકા છે. વર્ષ 2018-19માં 7 લાખ એટલે કે 1 ટકા ઇનકમ ટેક્ષ ભરનારની સંખ્યામાં ઘટાડો થવાની આશંકા દર્શાવાઇ છે.
આવકવેરો ભરનાર કરદાતાની સંખ્યાંમાં વર્ષ 2018-2019માં ઘટાડો થવાની આશંકા છે. વર્ષ 2018-19માં 7 લાખ એટલે કે 1 ટકા ઇનકમ ટેક્ષ ભરનારની સંખ્યામાં ઘટાડો થવાની આશંકા દર્શાવાઇ છે. બ્રોકરેજ કંપની કોટક સિક્યોરિટીઝે સત્તાવાર આંકડાના હવાલાથી પોતાની એક રિપોર્ટમાં ક્હ્યું છે કે 2018-19માં 6.68 કરોડ રિટર્ન ભરવામાં આવ્યા. જ્યારે ગત વર્ષે આ સંખ્યા 6.75 કરોડ હતી. આ રિપોર્ટ એવા સમયે આવી છે જ્યારે સરકાર સતત ટેક્સ બેઝ વધારવા પર જોર લગાવી રહી છે.
રિપોર્ટમાં ટેક્સ ભરનારની ઓછી સંખ્યા પર આશંકા દર્શાવાઇ રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નોટબંધી બાદ એવી આશા હતી કે ટેક્સનું પ્રમાણ વધશે. એવામાં ટેક્સ રિટર્ન ફાઇલ કરનાર લોકોની સંખ્યામાં ઘટાડો સવાલો ઉભા કરી રહ્યા છે. બીજી તરફ સરકાર સતત નોટબંધીના પગલાના ફાયદા તરીકે ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યામાં વૃદ્ધિને ગણાવતી રહે છે.
IANSની હાલમાં આવેલી એક રિપોર્ટ મુજબ લોકસભા ચુંટણી બાદ કેન્દ્રમાં બનનારી નવી સરકાર પૂર્ણ બજેટમાં ચાલૂ નાણાકીય વર્ષ માટે નિર્ધારીત 13.80 લાખ કરોડ રૂપિયાના પ્રત્યક્ષ ટેક્સ સંગ્રહ લક્ષ્યમાં ઘટાડો કરી શકે છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, નાણાકીય વિભાગ બજેટમાં 13.80 લાખ કરોડ રૂપિયાના વર્તમાન પ્રત્યક્ષ કર સંગ્રહ લક્ષ્યમાં ઘટાડો કરવાની દિશામાં પ્રયાસ કરી શકે છે. કેમકે 21 ટકાની વૃદ્ધિ (વાસ્તવિક સંશોધિત 11.4 લાખ કરોડ રૂપિયા પ્રત્યક્ષ કર સંગ્રહ લક્ષ્યના હિસાબે) હાંસલ કરવો મુશ્કેલ છે. વર્તમાન લક્ષ્ય પુર્ણ કરવો કઠિન છે. ગત નાણાકીય વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયાનો લક્ષ્ય પણ પૂર્ણ નહીં થઇ શકે. તેથી ટેક્ષ કલેક્શન લક્ષ્યમાં ઘટાડાનો વિચાર કરવામાં આવી શકે છે.
ફેબ્રુઆરીમાં રજૂ કરવામાં આવેલા અંતિમ બજેટમાં ચાલૂ નાણાકીય વર્ષમાં પ્રત્યક્ષ કરથી 13.80 લાખ કરોડ રૂપિયા સંગ્રહ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. જ્યારે ગત વર્ષમાં 12 લાખ કરોડ રૂપિયા હતો. પ્રત્યક્ષ કરોમાં કોર્પોરેટ કર અને વ્યક્તિગત કરવેરો સામેલ છે.