ભારતીય કપ્તાન વિરોટ કોહલીએ મંગળવારના રોજ એજબસ્ટન મેદાન પર બાંગ્લાદેશ સામે ICC વર્લ્ડકપ-2019માં ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતે આ મેચમાં કુલદીપ યાદવની જગ્યાએ ભુવનેશ્વર કુમારને તથા કેદાર જાદવની જગ્યાએ દિનેશ કાર્તિકને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરેલ છે. વર્લ્ડકપના ઇતિહાસમાં ટીમ ઇન્ડિયા પહેલી વખતે ચાર વિકેટકીપર સાથે ઉતરી છે.
આપને જણાવી દઇએ કે, બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાએ દિનેશ કાર્તિકને તક આપી છે જે બાદ ટીમમાં 4 વિકેટ કીપર થયાં છે. ટીમમાં હાલ વિકેટકીપિંગની જવાબદારી માત્રને માત્ર અનુભવી વિકેટ કીપર મહેન્દ્ર સિંહ ધોની સંભાળી રહ્યા છે.
ઋુષભ પંત એક યુવા વિકેટકીપર બેટ્સમેન છે જેને ભારતીય ટીમમાં વિકેટકીપર સ્વરુપે જોવામાં આવી રહ્યો છે. કે.એલ રાહુલ પણ વિકેટકીપર બેટ્સમેન છે, તે IPL માં વિકટકીપિંગ કરે છે.