કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ સોમવારે જમ્મુ કાશ્મીરમાં બની રહેલી એશિયાની સૌથી મોટી ઝોજિલા ટનલ પર પહોંચીને બાંધકામ જોયું હતું.
જમ્મુ કાશ્મીરમાં બની રહી છે એશિયાની સૌથી મોટી જોજિલા ટનલ
કેન્દ્રીય માર્ગ મંત્રી નીતિન ગડકરીએ પહોંચ્યાં જોજિલા ટનલ
11500 ફૂટની ઊંચાઈએ આવેલી છે
4,900 કરોડના ખર્ચે 13 કિમી લાંબી છે ટનલ
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સોમવારે (10 એપ્રિલ) જોજિલા ટનલની જાણકારી લીધી હતી. આ ટનલ જમ્મુ-કાશ્મીરને દરેક હવામાનમાં લદ્દાખ સાથે જોડવાના હેતુથી બનાવવામાં આવી રહી છે.
श्रीनगर - लेह राजमार्ग पर (NH-1) भूस्थैतिक रूप से महत्वपूर्ण जेड-मोड़ टनल का आज जम्मू और कश्मीर के उपराज्यपाल श्री @manojsinha_ जी तथा सड़क परिवहन और राजमार्ग के संसदीय सलाहकार समिति के सदस्य सांसद की उपस्थिति में मुआयना किया।
ગડકરીના અધ્યક્ષતાવાળી કમિટી પહોંચી જોજિલા ટનલની મુલાકાતે
માર્ગ પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીની અધ્યક્ષતાવાળી સંસદીય સમિતિ પણ જોજિલા ટનલના નિર્માણ કાર્યની સમીક્ષા કરવા પહોંચી હતી. કેન્દ્રીય મંત્રીની સાથે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા પણ હતા. 13 સભ્યોની સલાહકાર સમિતિ સાથે ટનલ નિર્માણ સ્થળની મુલાકાત લીધા બાદ મીડિયા સાથે વાત કરતા ગડકરીએ કહ્યું કે ઐતિહાસિક ટનલ પ્રોજેક્ટ કાશ્મીર ખીણને કન્યાકુમારી સાથે જોડવાના સ્વપ્નનો ભાગ છે. ગડકીએ એવું પણ કહ્યું કે આપણા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આ ભારતનાં ઇતિહાસમાં એક ઐતિહાસિક અને મહત્ત્વપૂર્ણ ટનલ છે. આ ટનલની લંબાઈ એશિયામાં સૌથી લાંબી હોવાની સંભાવના છે.
ક્યાંથી ક્યાં પસાર થાય છે ટનલ
આ ટનલ શ્રીનગર-કારગિલ-લેહ હાઈવે પર જોજિલા પાસથી પસાર થશે. આ ટનલ પ્રોજેક્ટ વ્યૂહાત્મક મહત્વ ધરાવે છે કારણ કે શિયાળામાં ભારે હિમવર્ષાને કારણે હાઇવે બંધ છે, જેના કારણે લદ્દાખ ક્ષેત્રનો કાશ્મીર ખીણ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. જોજિલા ટનલ કાશ્મીરના ગાંદરબલ જિલ્લાના બાલતાલને લદ્દાખના કારગિલ જિલ્લાના દ્રાસ શહેરમાં એક મિનિ-રોડ સાથે જોડશે. સોનમર્ગથી બાલટાલ સુધી 18 કિલોમીટર લાંબો લિન્ક રોડ છે જ્યારે મુખ્ય ટનલની લંબાઈ 13 કિમી છે.
4900 કરોડના ખર્ચે બાંધવામાં આવી રહી છે
જોજિલા ટનલનો ઉલ્લેખ કરતા ગડકરીએ કહ્યું કે આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 12,000 કરોડ રૂપિયા હતો પરંતુ નિષ્ણાતો અને આંતરરાષ્ટ્રીય સલાહકારો સાથે ચર્ચા કર્યા પછી, તેના ખર્ચમાં 5,000 કરોડ રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.
ટનલનું કેટલું કામ પુરુ થયું
ગડકરીએ કહ્યું કે ટનલનું 38 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે અને સામાન્ય લોકોને રાહત આપવા માટે આ વર્ષે પ્રોજેક્ટના એક ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી સમગ્ર વિસ્તારમાં પ્રવાસનને વેગ મળશે.