હાલમાં ક્રિકેટ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે, ત્યારે આ વખતે વર્લ્ડકપમાં વરસાદ અને ખિલાડીઓની ઇજાને કારણે ટીમ ઘણી નિરાશ થઇ છે.
જોકે કેટલાક ખિલાડીઓની ઇજાને કારણે ટીમના બાકીની સાથી ખિલાડીઓનુ નસીબ બદલાયુ છે અને વર્લ્ડકપ માટે ટીમનો ભાગ બન્યા છે.
હાલમાંઓ ઓસ્ટ્રેલિયાની સામે મેચમાં હાથની ઇજા થયા પછી ફિટનેસ પાછી ના મેળવી શક્યાના કારણે શિખર ધવને વર્લ્ડકપમાંથી બહાર થવુ પડ્યુ છે. શિખર ધવનની જગ્યાએ રિષભ પંતને ટીમમાં જગ્યા મળી છે. પ્લેઇંગ XIમાં જગ્યા મળશે કે નહી તે હજુ સુધી સ્પષ્ટ નથી પરંતુ ટીમ ઇન્ડિયાની પાસે હાલમાં 4 વિકેટકીપર છે.
ટીમમાં હાલમાં વિકેટકીપિંગની જવાબદારી અનુભવી વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોની પાસે છે અને જે ટીમનો અભિન્ન ભાગ છે તો તેની જગ્યા પ્લેઇંગ XIમાં પાક્કી છે.
આ સિવાય ટીમની પાસે રિઝર્વ વિકેટકિપર બેટ્સમેન દિનેશ કાર્તિક છે જેણે ટીમ નંબર 4 પર રમાડવા આવી શકે છે.
આ સિવાય કે.એલ.રાહુલ જે IPLમાં પજાંબ અને બેંગ્લોરની તરફથી વિકેટકીપિંગ કરી ચૂક્યો છે અને ધવનની ગેરહાજરીમાં તે રોહિત શર્મા સાથે ઑપનિંગ કરી રહ્યો છે.
તો બીજી તરફ શિખર ધવનની જગ્યાએ ટીમમાં શામેલ થયેલા રિષભ પંત એક વિકેટકીપર બેટ્સમેન છે અને તે IPLમાં દિલ્હી માટે અને ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયા માટે વિકેટકીપિંગ કરી ચૂક્યો છે. જો મેચમાં એક સાથે આ ચારેયને પ્લેઇંગ XIમાં જગ્યા મળે છે, તો વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલી વખત હશે કે કોઇ ટીમના 4 વિકેટકીપર એકસાથે રમશે.