30 એપ્રિલ 2022નાં રોજ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. જાણો આ ગ્રહણ ભારતમાં જોવા મળશે કે નહી તેમજ આ ગ્રહણનું જ્યોતિષની દ્રષ્ટીએ શું મહત્વ છે.
30 એપ્રિલનાં રોજ છે સૂર્ય ગ્રહણ
ભારતમાં નહી જોવા મળે આ ગ્રહણ
બધી જ રાશિઓ પર પડશે અસર
વર્ષ 2022માં કુલ 4 ગ્રહણ લાગશે. આમાંથી 2 સૂર્ય ગ્રહણ અને 2 ચંદ્ર ગ્રહણ છે. વર્ષ 2022માં લાગનાર ગ્રહણોની શરૂઆત એપ્રિલ મહિનાથી થઇ રહી છે. વર્ષનું આ પહેલું ગ્રહણ 30 એપ્રિલ 2022નાં રોજ લાગશે. આ સૂર્ય ગ્રહણ આંશિક રહેશે, તેથી તેનો સુતક કાળ માન્ય રહેશે નહીં અને ધર્મની દ્રષ્ટિએ તેનું વિશેષ મહત્વ રહેશે નહીં. જોકે જ્યોતિષ અને ખગોળની દ્રષ્ટિએ આ ગ્રહણ મહત્વનું રહેશે.
આ છે સૂર્ય ગ્રહણનનો સમય
વર્ષનું આ પહેલું સૂર્ય ગ્રહણ 30 એપ્રિલની મધ્યરાત્રીથી લાગશે. સૂર્ય ગ્રહણ મધ્યરાત્રીએ 12 કલાક અને 15 મિનિટથી શરુ થશે અને સવારે 4 કલાક 8 મિનિટ સુધી રહેશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહી. આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકાનાં દક્ષિણ - પશ્ચિમી ભાગ, એટલાન્ટિક, એન્ટાર્કટિકા અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે.
સૂર્ય ગ્રહણની અસર
ધર્મ અને જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહણને શુભ માનવામાં આવતું નથી અને એટલા માટે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ દરમિયાન ન તો કોઈ શુભ કાર્યો કરવામાં આવે છે કે ન તો કંઈ ખાવાપીવામાં આવે છે. ગ્રહણનાં સુતક સમયગાળા દરમિયાન મંદિરોના દરવાજા બંધ રહે છે.આ ઉપરાંત, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક સૂર્ય અને ચંદ્ર ગ્રહણની બધી 12 રાશિઓ પર અસર થાય છે, ભલે તે ગ્રહણ જોવા મળે કે ન મળે. 30 એપ્રિલ 2022નાં સૂર્ય ગ્રહણની અસર પણ બધી રાશિઓ પર થશે. અમુક રાશિ પર આ અસર શુભ રહેશે, જ્યારે અમુક રાશિ માટે અશુભ રહેશે. જ્યોતિષ અનુસાર, વૃષભ, કર્ક અને ધનુ રાશિ માટે આ સૂર્ય ગ્રહણ શુભ રહેશે.