આજે વર્ષની પહેલી શનિ અમાસ છે. શનિદેવને પ્રસન્ન કરવા અને શનિ ગ્રહની અસરથી મુક્ત થવા માટે ખાસ ઉપાયોનું વિશેષ મહત્વ છે.
આજે વર્ષની પહેલી શનિ અમાસ
શનિદેવને આ 5 ઉપાયોથી કરો પ્રસન્ન
શનિ અમાવસ્યા પર બની રહ્યો છે વિશેષ યોગ
જ્યારે શનિવારના દિવસે અમાસની તિથિ આવે છે તો તેને શનિ અમાવસ્યા કે શનેશ્વરી અમાવસ્યા કહેવામાં આવે છે. આજે ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની છેલ્લી અમાસની તિથિ છે અને શનિવાર પણ છે તેથી શનિ અમાવસ્યા કે ફાગણ અમાવસ્યાના નામે ઓળખવામાં આવે છે. વર્ષમાં આવનારી 12 અમાસમાં આ અમાસનું ખાસ મહત્વ હોય છે. ધાર્મિક રીતે આ અમસાનું ખાસ મહત્વ હોય છે જેમકે આ દિવસે શનિદેવને પ્રસન્ન કરવા અને તેમની કૃપા બનાવી રાખવાનો ખાસ સમય છે. આ દિવસે શનિ ગ્રહની શાંતિના ઉપાયો કરવાથી શનિ ગ્રહનું શુભ ફળ મળે છે. આ સાથે શનિની સાડા સાતી અને ઢૈય્યા સહિત દુષ્પ્રભાવથી બચવામાં પણ મોટી મદદ મળે છે.
શનિ અમાસ પર બની રહ્યો છે વિશેષ યોગ
શનિ અમાસ પર આ વખતે 4 ગ્રહોનો વિશેષ યોગ બની રહ્યો છે. સૂર્ય, ચંદ્ર, બુધ અને શુક્ર કુંભ રાશિમાં રહેશે. કુંભ શનિની રાશિ છે જ્યાં ચતુગ્રહી યુતિનો યોગ બની રહ્યો છે. આ સિયાવ આ અમાસ દર્શ અમાસની શ્રેણીમાં આવે છે. આ શ્રેણીમાં અમાસ સવારથી સાંજ સુધી તિથિ અનુસાર ગોચર કરે છે. શનિ અમાસ પર પિતૃદોષ, કાળ સર્પ દોષ, વિષ યોગ, અમાસ દોષ, શનિની સાડા સાતી, શનિની મહાદશા શાંતિના ઉપાયો માટે સારી રહે છે. આ દોષની શાંતિ માટે શનિનો અભિષેક કરવો.
આ રાશિના લોકોએ રાખવી સાવધાની
જે રાશિ પર શનિનો પ્રકોપ છે તે ભગવાન શનિદેવનું વિધિ વિધાન સાથે પૂજન કરે. શનિ અમાસના દિવસે પૂજા કરવાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે અને શનિ ગ્રહ સાથે જોડાયેલી અશુભતા દૂર થાય છે. હાલના સમયમાં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી ચાલી રહી છે. આ સિવાય મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈય્યા ચાલી રહી છે.
શનિદેવને પ્રસન્ન કરવાના આ છે ઉપાયો
મંત્ર જાપ
શનિ અમાસના દિવસે શનિદેવની પૂજા કરતી સમયે ॐ प्रां प्रीं प्रौं स: शनिश्चराय नम: મંત્રનો દાપ કરો. આ ઉપાય શનિ દોષને દૂર કરે છે. આ સાથે જ શનિ સ્ત્રોતનો પાઠ પણ કરવાથી સફળતા મળે છે.
શિવજી અને હનુમાનજીની પૂજા
શનિ અમાસના દિવસે શનિદેવની સાથે ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા કરો. આમ કરવાથી શનિ દોષથી છૂટકારો મળે છે અને સાથે જ દરેક પ્રકારની બાધાઓ દૂર થાય છે.
પીપળાના ઝાડની પૂજા
શનિ સાથે જોડાયેલા ખરાબ પ્રભાવના કારણે શનિ અમાસના દિવસે પીપળાના વૃક્ષની નીચે બેસીને શનિદેવનું ધ્યાન કરો. આ સાથે સરસોના તેલનો એક દીવો પીપળાના ઝાડની પાસે કરો. આમ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. પણ ધ્યાન રાખો કે આ કામ સૂર્યાસ્ત બાદ કરવું.