કોરોનાવાયરસે ગુજરાતમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ ગુજરાતમાં લોકોને સ્વયં શિસ્ત પાડવાની અપીલ કરવામાં આવી રહી છે પરંતુ અમુક લોકો તેમ છતા મનમાની કરી રહ્યા છે. અમદાવાદમાં સિંગાપુરનો એક યુવાન હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યો હતો. તેમ છતાં તે બેસણામાં ગયો હતો જેને પગલે તેને પકડીને નવરંગપુરા સરદાર પટલે સ્ટેડિયમમાં કોરેન્ટાઈ કરી દેવામાં આવ્યો છે.
ફોન કરીને પુછ્યુ તો કહ્યું કે હું બેસણામાં છું
કોરનાની ગંભીરતા સમજવાની જરૂર
ઘરમાં રહેવાની સૂચના છતાં કર્યો ભંગ
ઓઢવમાં રહેતા સચીન પટેલ તાજેતરમાં જ સિંગાપુરથી પરત આવ્યો હતો ત્યારે તેમને તેમના જ ઘરમાં 14 દિવસ માટે કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. આ જ સમયગાળામાં મરણ પ્રસંગે બેસણામાં જતા તેમને ફરજિયાત કોરોન્ટાઈન હોમમાં રાખવાની ફરજ પડી હતી. ઓઢવ પોલીસ સ્ટેશનમાં સરકારના કોરોન્ટાઈન જાહેર નામા ભંગ બદલ તેમની સામે ગુનો નોધવામાં આવ્યો છે.
ફોન કરીને પુછ્યુ તો કહ્યું કે હું બેસણામાં છું
આ કેસની વિગત એવી છે કે ઓઢવ પોલીસ સ્ટેશનમાં મ્યુનિ. કોર્પોરેશનની પૂર્વ કચેરીના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. અશ્વીનભાઇ.ક.ખરાડીએ ઓઢવમાં પાંજરાપોળ વિસ્તારમાં રહેતા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેઓ તા. 14મી માર્ચના રોજ સિંગાપોરથી અમદાવાદ પરત આવ્યા હતા.
ઘરમાં રહેવાની સૂચના છતાં કર્યો ભંગ
અમદાવાદ એરપોર્ટ પર કોરોના વાઇરસ સ્ક્રેનિંગ કર્યા બાદ તેમને પોતાના ઘરે જ 14 દિવસ સુધી ક્વોરન્ટાઇનમાં રહેવા જણાવવામાં આવ્યું હતું એટલું જ નહી કોઇપણ પ્રસંગે પોતાના રહેણાંક બહાર નહીં જવાની સુચના પણ આપવામાં આવી હતી. જ્યારે બપોરે મેડીકલ ઓફીસર તેમના ઘર તપાસ કરવા માટે ગયા હતા આ સમયે તેઓ ઘરે ન મળ્યા હતા.
કોરનાની ગંભીરતા સમજવાની જરૂર
જેથી મહિલા અધિકારીએ ફોન પર સંપર્ક કરતાં તેઓ બેસણામાં ગયા છે અને થોડીવાર પછી પોતાના ઘરે આવશે તે મુજબ જણાવ્યું હતું. આમ સરકારના જાહેર નામનો ભંગ કરતા મહિલા અધિકારીએ તેમની સામે ઇપીકો કલમ 270, 188 મુજબ ગુનો નોધાવ્યો હતો અને તેમને પોલીસે પકડીને તાત્કાલીક અસરથી નવરંગપુરા સ્ટેડિયમ ખાતે આવેલા કોરોન્ટાઈન સેન્ટરમાં ભરતી કરાવી દીધા હોવાનું શહેર પોલીસ કમિશનર આશિષ ભાટીયાએ જણાવ્યું હતું.