નેપાળમાં ક્રેશ થયેલું તારા એરલાઈન્સનું વિમાનનો કાટમાળ સોમવારે મળી આવ્યો છે. આ વિમાનનો કાટમાળ મુસ્તાંગ વિસ્તારના કોબનમાંથી મળી આવ્યો છે.
નેપાળમાં ક્રેશ થયેલા વિમાનનો કાટમાળ મળી આવ્યો
રવિવારના રોજ થઈ હતી આ દુર્ઘટના
આ વિમાનમાં કુલ 22 મેમ્બર્સ સવાર હતા
નેપાળમાં ક્રેશ થયેલું તારા એરલાઈન્સનું વિમાનનો કાટમાળ સોમવારે મળી આવ્યો છે. આ વિમાનનો કાટમાળ મુસ્તાંગ વિસ્તારના કોબનમાંથી મળી આવ્યો છે. આ વિમાન રવિવારે દુર્ઘટનાનો શિકાર થયું હતું. તારા એરલાઈન્સની ફ્લાઈટ 9NAET નેપાળના પોખરાથી જોમસોમ જઈ રહી હતી. સવારે લગભગ 10 કલાકે અચાનક ફ્લાઈટ ગુમ થઈ હતી.
Nepal | Crashed Tara Air aircraft located at Sanosware, Thasang-2, Mustang
The aircraft with 22 people including four Indians onboard went missing yesterday.
દિવસભરની શોધખોળ બાદ તપાસ અભિયાન હાથ ધરવામા આવ્યું હતું, જે સાંજે લગભગ 4 કલાકે ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 22 લોકો સવાર હતા, તેમાં 4 ભારતના, 2 જર્મનીના અને 13 નેપાળના મુસાફરો હતા. ફ્લાઈટમાં ચાલક દળના 3 સભ્યો પણ હતા, વિમાન 30 વર્ષ જૂનુ હતું.
દિવસભરની શોધખોળ કર્યા બાદ સાંજે લગભગ 4 કલાકની આસપાસ ફ્લાઈટ ક્રેશ થવાના સમાચાર આવ્યા હતા. પ્લેનમાં ક્રૂ મેમ્બર્સ સહિત લગભગ 22 લોકો સવાર હતા. તેમાંથી 4 મુસાફરો ભારતના, 2 જર્મનીના અને 13 નેપાળના હતા. ફ્લાઈટમાં ચાલક દળના પણ 3 સભ્યો હતા. વિમાન 30 વર્ષ જૂનુ હતું.
ત્રિભુવન ઈંટરનેશનલ એરપોર્ટના ચીફે જણાવ્યું હતું કે, ઘટનાસ્થળ પર તપાસ થઈ રહી છે. નેપાળની સેનાના પ્રવક્તા નારાયણ સિલવાલે જણાવ્યું હતું કે, નેપાળી સેના હવાઈ માર્ગ દ્વારા ઘટનાસ્થળ સુધી પહોંચી ગઈ છે. રેસ્ક્યુ ઓપરેશન ચલાવામાં આવી રહ્યું છે.