પરમાણુ ક્ષમતાથી સજ્જ બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ 3નું પહેલી વખત રાતના સમયે પરીક્ષણ કરવામાં આવ્યું. રક્ષા સૂત્રોના જણાવ્યા અનુસાર ઓરિસ્સાના તટ પર એપીજે અબ્દુલ કલામ દ્વીપ સ્થિત ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જથી રાત્રે 7:20 મિનિટે આ મિસાઈલનું પરીક્ષણ કરાયું હતું.
અગ્નિ - મિસાઈલનું કરાયું પરીક્ષણ
પહેલી વાર રાતના સમયે કરાયું પરીક્ષણ
રાત્રે 7:20 મિનિટે મિસાઈલનું પરીક્ષણ કરાયું
3500 કિલોમીટરની મારક ક્ષમતા ધરાવે છે અગ્નિ-3
મિસાઇલના પ્રક્ષેપણ માર્ગ પર હવે નજર રાખવામાં આવી રહી છે. આ મિશનના પરિણામોની રાહ જોવાઇ રહી છે. અગ્નિ -3 મિસાઇલ એક મધ્યમ-અંતરની મિસાઇલ છે. તેની મારક ક્ષમતા 3500 કિલોમીટર સુધીની છે. આ પરીક્ષણ સેનાની યુઝર ટ્રાયલ હેઠળ લેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર અગ્નિ -3 મિસાઈલ પહેલાં જ સેનામાં સામેલ કરાઈ ચૂકી છે. તેની લંબાઈ 17 મીટર, વ્યાસ 2 મીટર અને વજન લગભગ 50 ટન છે.
આ રીતે કરાયું પરીક્ષણ
અગ્નિ-3નું રાતના સમયે પરીક્ષણ ઈન્ડિયન આર્મીની સ્ટ્રેટેજિક ફોર્સના કમાન્ડે કર્યું હતું. તેમાં રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (DRDO)ના લોજિસ્ટિક સપોર્ટ પણ હતો. આ પરીક્ષણ સેનાના યૂઝર ટ્રાયલના આધારે થયું હતું.
અગ્નિ-3 મિસાઈલની ખાસિયત
ઉલ્લેખનીય છે કે અગ્નિ-3ની ગુણવત્તાના પરીક્ષણને માટે ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એવું પહેલીવાર થયું છે કે જ્યારે મિસાઈલનું પરીક્ષણ રાતના સમયે કરાયું હોય. આ મિસાઈલની ખાસિયત છે કે તેમાં 2 તરણમાં પ્રોપેલેંટ ભરવામાં આવશે. તે 1.5 ટનના હથિયાર લઈ જવામાં સક્ષમ છે. અગ્નિ-3 હાઈબ્રિડ નેવિગેશનથી લેસ અને હૈઔર ઉન્નત ઓન બોર્ડ કમ્પ્યૂટરની સાથે કંટ્રોલ પેનલ સાથે જોડાયેલું છે. આ લેટેસ્ટ ટેકનીકથી લેસ મિસાઈલ છે.