વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ 26 મે 2021ના રોજ દેખાશે અને આ વખતનું ચંદ્ર ગ્રહણ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે.
26 મેના રોજ પહેલુ ચંદ્રગ્રહણ
ભારતના કેટલાક હિસ્સામાં દેખાશે
ક્યાં અને ક્યારે જોવા મળશે?
આ ગ્રહણ પૂર્વી એશિયા, ઓસ્ટ્રેલિયા, પ્રશાંત અને અમેરિકામાં દેખાશે. ભારતીય સમય અનુસાર આ ગ્રહણ સવારે 2 વાગીને 17 મિનીટ પર શરૂ થશે અને 7 વાગીને 19 મિનીટે પૂર્ણ થશે. ભારતના પૂર્વોત્તર રાજ્યાના કેટલાક હિસ્સા, પશ્ચિમ બંગાળના કેટલાક હિસ્સા, ઓડિસાના કેટલાક હિસ્સા અને અંદમાન નિકોબારના કેટલાક હિસ્સામાં આ ગ્રહણ જોઇ શકાશે.
26 મે એટલે કે વૈશાખી પૂનમની સાંજે જોવા મળશે
2021નું પહેલું ગ્રહણ ચંદ્રગ્રહણ હશે. જે 26 મે એટલે કે વૈશાખી પૂનમની રાતે જોવા મળશે. આખી દુનિયામાંથી ભારતમાં ખાલી અમુક જ પ્રદેશમાં આ ગ્રહણ જોઈ શકાશે. આ ગ્રહણના દિવસે બુધવાર છે જે વૃશ્ચિક રાશિ અને અનુરાધા નક્ષત્રમાં લાગશે. ચંદ્ર પર આંશિક ગ્રહણ બપોરે લગભગ સવા ત્રણ વાગ્યે શરૂ થશે અને સાંજે 7 વાગીને 19 મિનિટે પૂરું થશે.
26 મે ની સાંજે આકાશમાં દેખાશે સુપર મુન
પૂર્વમાં થનાર આ ચંદ્ર ગ્રહણ સંપૂર્ણ થશે ત્યારે આકાશમાં સાંજે સુપર મુન દેખાશે. એમ પી બિરલાના નિર્દેશક અને પ્રખ્યાત ખગોળ વૈજ્ઞાનિક દેબીપ્રસાદ દુઆરીએ કહ્યું કે કોલકાતામાં છેલ્લું ચંદ્રગ્રહણ 10 વર્ષ પહેલા 10 ડિસેમ્બર 2011માં જોવા મળ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે 26 મે ની સાંજે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં હશે એટલે ધરતી પરથી ગ્રહણના રૂપમાં જોવા મળશે અને થોડા કલાકો માટે ગ્રહણ પણ લાગશે. ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરતા ફરતા થોડા સમય માટે પૃથ્વી ના પડછાયા પાસેથી પસાર થસે અને સંપૂર્ણ ગ્રહણ લાગશે.
ક્યાં ક્યાં જોવા મળશે?
પૂર્વ એશિયા, પ્રશાંત મહાસાગર, ઉત્તર અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના વિસ્તારોમાં અને ઑસ્ટ્રેલિયમાં સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ જોવા મળશે. ભારતની વાત કરીએ તો ભારતનો ભાગ આ સમયે પૂર્વ ક્ષિતિજથી નીચે હોવાથી ભારતના અમુક જ ભાગોમાં સંપૂર્ણ ચંદ્ર ગ્રહણ નહીં જોવા મળે. પરંતુ ભારતના પૂર્વ ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ જોઈ શકાશે. એ પણ એવા સમયમાં જ્યારે ચંદ્રને આવવાનો સમય થશે.
આ ગ્રહણમાં શું છે ખાસ ?
વિજ્ઞાનના અનુસાર જ્યારે ચંદ્ર પૃથ્વીથી સંપૂર્ણ રીતે ઢંકાઇ જાય છે ત્યારે તેના પર કોઇ રોશની નથી પડતી અને તેના કારણે તે લાલ કલરનો દેખાય છે માટે તેને બ્લમૂન પણ કહેવામાં આવે છે.
પુરાણોમાં કહેવાયું છે કે દાન પુણ્યનું મહત્વ ઘણું વધારે છે. ગ્રહણના સમયે દાન કરવાથી જીવનની અનેક પરેશાની દૂર થાય છે અને દુઃખથી મુક્તિ મળે છે. સાથે વ્યક્તિને બુદ્ધિનો આર્શિવાદ પણ મળે છે અને ઘરમાં ખુશી આવે છે. તો જાણો કઈ વસ્તુઓનું દાન કરવાનું યોગ્ય રહે છે.
ચોખાનું દાન
અનેક શુભ કામમાં ચોખાનો ઉપયોગ કરાય છે. માન્યતા છે કે ગ્રહણના સમયે ચોખાનું દાન કરવાથી ઘરમાં ધન ધાન્યનો ભંડાર બની રહે છે અને તેનાથી કોઈ ખામી આવી નથી.
દૂધનું દાન
ચંદ્રગ્રહણના સમયે દૂધ અને દહીંનું દાન કરવાનું સારું માનવામાં આવે છે. તે માટે તેનું દાન કરવું જોઈએ. ગ્રહણના સમયે દૂધ અને દહીં દાન કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન નારાયણની કૃપા મળે છે.
ખાંડનું દાન
ગ્રહણના સમયે ખાંડનું દાન પણ સારું માનવામાં આવે છે. માન્યતા છે કે તેનાથી દેવી દેવતાની કૃપા બની રહે છે અને તેમના આર્શિવાદ મળે છે. ગ્રહણના નકારાત્મક પ્રભાવથી બચવાનું જરૂરી રહે છે.