28મીએ પીએમ મોદી દ્વારા ઉદ્ધાટિત થનારા નવી સંસદનો પહેલો લુક સામે આવ્યો છે. નવી સંસદનો અંદરનો નજારો ખૂબ આકર્ષક છે.
28મીએ પીએમના હસ્તે નવી સંસદનું ઉદ્ધાટન
ઉદ્ધાટનના બે દિવસ પહેલા આવ્યો નવી સંસદનો લુક
ખૂબ જ આકર્ષક છે અંદરનો નજારો
પ્રધાનમંત્રી મોદી 28મી મે (રવિવાર) ના દિવસે દેશ સમક્ષ નવી સંસદ ખુલ્લી મૂકશે. નવી સંસદના ઉદ્ધાટનના બે દિવસે તેનો પહેલો લૂક સામે આવી ગયો છે જે સંમોહિત કરી મૂકનાર છે.
ઔરંગઝેબે વિદિશાના જે મંદિરને તોડી પાડ્યું તું તેના જેવી દેખાય છે નવી સંસદ
1682ની સાલમાં મોગલ શહેનશાહ ઔરંગઝેબે એમપીના વિદિશામાં એક હિંદુ મંદિર તોડી પાડ્યું હતું. નવી સંસદ પણ બરાબર તેના જેવી દેખાય છે. ઔરંગઝેબે તોડી પાડેલું મંદિર ચર્ચિકા દેવીનું હતું.
વીડિયોમાં દેખાયો અંદરનો નજારો
વીડિયોમાં નવી સંસદની અંદરનો નજારો દ્રશ્યમાન થાય છે. ખૂબ જ સુંદર રીતે બિલ્ડિંગને બનાવાઈ છે.
21 પક્ષોએ કર્યો છે બહિષ્કાર
મહત્વનું છે કે, કોંગ્રેસ, TMC, AAP, JDU, RJD, DMK, NCP, સમાજવાદી પાર્ટી સહિત 21 પક્ષોએ નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. આ પક્ષોએ સંસદ ભવનનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્વારા કરાવવાની માંગ કરી છે.
પીએમ મોદી જ કરશે નવી સંસદનું ઉદ્ધાટન
રાષ્ટ્રપતિ દ્વારા સંસદના ઉદ્ઘાટનને લઈને વિવાદ ચાલુ છે. આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે પીએમ મોદી દ્વારા નવી સંસદના ઉદ્ઘાટનને લઈને અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે અરજદારના વકીલને કહ્યું કે, 'આવી અરજી દાખલ કરવા બદલ અમે તમારા પર દંડ કેમ ન લગાવીએ.' સુનાવણી દરમિયાન, અરજદાર વતી દલીલ કરતી વખતે, કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપતિ પાસે બંધારણીય વડાનું પદ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, 'અમે આ મામલે દખલ કરવા માંગતા નથી.