બાલ્ટીમોરઃ દુનિયામાં પ્રથમ વાર એચઆઇવી પોઝીટીવ મહિલા ડોનરની કિડની એચઆઇવી પોઝીટીવ દર્દીને ટ્રાન્સફર કરવામાં આવી છે. આ ઓપરેશન નજીકનાં દિવસોમાં બાલ્ટીમોરનાં જૉન હૉપકિંસ હોસ્પિટલનાં ડોક્ટર્સે કરેલ છે. હોસ્પિટલ અનુસાર, બંને લોકો હાલમાં સ્વસ્થ છે. અત્યાર સુધી મૃત એચઆઇવી પોઝીટીવ ડોનરનાં અંગોનું જ પ્રત્યારોપણ થતું હતું.
ડૉનરનું નામ નીના માર્ટિનેજ છે. તેઓ અટલાંટામાં રહે છે અને પબ્લિક હેલ્શ કન્સલ્ટેંટ છે. 36 વર્ષની નીનાને એચઆઇવી પોઝીટીવ બીમારી વિશે ત્યારે ખ્યાલ આવ્યો કે જ્યારે તે પોતે 6 મહીનાની હતી. ઓપરેશન પહેલાં નીનાએ જણાવ્યું હતું કે, "લોકો વિચારે છે કે એચઆઇવીથી પિડિત રોગી નબળાં હોય છે. હું તેવાં લોકોને બતાવવા માંગુ છું કે આવું નથી હોતું. જુઓ મને કે હું કોઇ સ્વસ્થ ડોનર જેવી જ છું.
નીનાએ એમ પણ કહ્યું કે, હું અંદાજે 35 વર્ષથી આ બીમારી સાથે ઝઝૂમી રહી છું. આ જાણલેવા બીમારીથી પીડિત થવાં બાદ પણ કોઇને પણ જીવનદાન આપી શકાય છે. મને આશા છે કે આનાંથી વિચારધારા બદલાશે. એચઆઇવી પીડિત પણ જીવિત રહેવા માટે આગળ જશે. આ પ્રકારનાં ઓપરેશનને વિશે વિચારીશું.
સામાન્ય રીતે એઇડ્સ પીડિતને માટે એક કિડની પર જીવવું એ ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ નીનાનો આ રોગ સંપૂર્ણ રીતે નિયંત્રિત છે. તેઓનું શરીર એક કિડની પર કામ કરવામાં પણ સક્ષમ છે. જૉન હૉપકિંસ હોસ્પિટલમાં આ ઓપરેશન સોમવારનાં રોજ થયું છે. આને અસિસ્ટેંટ પ્રોફેસર નીરજ દેસાઇ, ડૉક્ટર ડોરી સેગેવ અને તેઓની ટીમે કર્યુ. સેગેવે કહ્યું કે, હું નીનાનાં નિર્ણયથી પ્રભાવિત છું. હું તેઓની સરાહના કરું છું. આવું ઇતિહાસમાં પણ પ્રથમ વાર થયું છે.
2013 પહેલાં અમેરિકામાં બે એચઆઇવી-પોઝીટીવ રોગીઓની વચ્ચે અંગ પ્રત્યાર્પણ ન હોતા કરી શકાતાં. પરંતુ સેગેવની શોધ બાદ એચઆઇવી ઑર્ગન પૉલિસી ઇક્વિટીમાં ફેરફાર થયો. ત્યાર બાદ એચઆઇવી પીડિત દર્દીઓની વચ્ચે અંગદાનને મંજૂરી આપવામાં આવી. આ ઓપરેશનનાં પહેલાં સેગેવ અને તેમની ટીમે 40 હજાર એચઆઇવી-પોઝીટીવ રોગીઓ પર શોધ કરી.