ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં યોજાનાર ત્રીજી ટેસ્ટ મેચ માટે ટીકિટ બુકિંગ શરુ થઈ ગઈ છે. જાણો ક્યાંથી બુક કરાવી શકશો ટીકિટ્સ..
ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ મોટેરા ખાતે રમાશે
5 ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમાશે મોટેરામાં
ગૃહમંત્રી અને રાષ્ટ્રપતિ ઉપસ્થિત તેવી શક્યતા
ત્રીજી ટેસ્ટ ડે નાઈટ રહેશે
ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં અધિકારીઓએ જાણકારી આપી છે કે, ચાર મેચોની શ્રેણીમાંથી ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ અમદાવાદનાં મોટેરા સ્ટેડિયમમાં રમાશે જેમાં 50 ટકા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. ઈંગ્લેન્ડની ટીમ આ સ્ટેડિયમમાં ભારત સામે અન્ય બે ટેસ્ટ મેચ રમશે, જેમાંથી ત્રીજી ડે-નાઇટ ટેસ્ટ મેચ રમાશે અને પાંચ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. સ્ટેડિયમમાં એક લાખ દસ હજાર દર્શકોની બેઠક ક્ષમતા છે.
દર્શકો માટે દરેક પ્રકારનાં પ્રિકોશનનું ધ્યાન રાખવામાં આવશે
ત્રીજી ટેસ્ટ મેચ પિન્ક બોલ ટેસ્ટ કે જે 24 ફેબ્રુઆરીનાં રોજ શરુ થશે જેની ટીકિટનાં દર 300 અને 1000ની વચ્ચે રાખવામાં આવ્યા છે. જીસીએનાં ઉપાધ્યક્ષ ધનરાજ નથવાણીએ કહ્યું કે કોવિડ-19 બાદ શ્રેણીની મેજબાની કરવી જીસીએ માટે સન્માનની વાત છે અને ખેલ પ્રેમીઓનાં મનોરંજન માટે દરેક પ્રકારનાં પ્રિકોશનનું ધ્યાન રાખવામાં આવશે.
સ્ટેડિયમમાં ઉદઘાટન માટે ગૃહમંત્રી ઉપસ્થિત રહી શકે
જીસીએનાં અન્ય એક અધિકારીએ કહ્યું કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહને 24 ફેબ્રુઆરીએ સ્ટેડિયમમાં ઉદધાટન સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રિત કરાયા છે. સાથે સાથે પીએમ મોદીને પણ આમંત્રિત કરાયા છે.