સુરતમાં આપઘાતના બે બનાવ બનવા પામ્યા હતા. જેમાં પ્રથમ બનાવમાં યુવતિએ આપઘાતનો પ્રયત્ન કરતા તેનું રેક્સ્યું કરવામાં આવ્યું હતું. જ્યારે અન્ય એક બનાવમાં યુવકે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
સુરતમાં આત્મહત્યાના બે અલગ અલગ બનાવમાં યુવતિ દ્વારા અગમ્ય કારણોસર આપઘાત કરવાનો પ્રયત્ન કરતા યુવતિનું રેસ્ક્યું કરી તેને બચાવી લેવામાં આવી હતી. જ્યારે બીજા એક બનાવમાં સચીન વિસ્તારમાં રહેતા આશાસ્પદ યુવકે ફીયાન્સી સાથે વાત કર્યા બાદ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
યુવતિએ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવતા રેસ્ક્યું કરી બચાવાઈ
સુરતના ઉમરવાડાના ટેર્નામેન્ટ ખાતે રહેતી 21 વર્ષીય યુવતિએ સરદાર બ્રિજ પરથી અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ લગાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ત્યારે 21 વર્ષીય યુવતિ સલમાએ આજે બપોરના સુમારે સુરતના સરદાર બ્રિજ પરથી નદીમાં મોતની છલાંગ લગાવી હતી. આ બાબતની જાણ સુરત સિવિલ ડિફેન્સ અને સ્થાનિક માછીમારોને થતા યુવતીનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુવતીને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્યાર આપઘાત પાછળનું કારણ અકબંધ છે. આ અંગે પોલીસે પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.
આશાસ્પદ યુવકે ફીયાન્સી સાથે વાત કર્યા બાદ જીવ ગુમાવ્યો
સુરતના સચીન વિસ્તારમાં 21 વર્ષીય આશાસ્પદ યુવકની લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આશાસ્પદ યુવકની ઝાડ પર લટકેલી હાલતમાં લાશ મળી આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મૂળ રાજસ્થાનના ઝાલોર જીલ્લાના લેદાર્મરનો ખાતે રહેતા અને સુરત ખાતે સચિન જીઆઈડીસીમાં સાડીના કારખાનામાં કટિંગનું કામ કરતો હતો. 21 વર્ષીય યુવક દિનેશ મેઘવાલે અચાનક આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ત્યારે યુવકે આપઘાત કરતા પહેલા તેની ફિયાન્સી સાથે ફોન ઉપર વાત કર્યા બાદ મોતને વ્હાલું કર્યું હતું.