AAPના સીએમ પદના ચેહરા અંગેના નિવેદનને લઇને કોંગ્રેસના નેતા જગદીશ ઠાકોરે AAP પર કટાક્ષ કર્યો હતો.
AAPમાં સીએમ ચેહરા અંગે જગદીશ ઠાકોરનુ નિવેદન
AAP પહેલા 182 ઉમેદવાર જાહેર કરે પછી CMના ચેહરાની વાત આવે
AAP જીતી શકે તે સ્થિતિમાં નથી : જગદીશ ઠાકોર
સુરતમાં આમ આદમીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ગુજરાતમાં મુખ્યમંત્રી ચહેરાને લઈને જણાવ્યું કે, આગામી ત્રણ નવેમ્બર સુધી AAP દ્વારા CM ફેસને લઈને કેમ્પેન ચલાવવામાં આવશે અને તે બાદ ચોથી નવેમ્બરે CMનો ફેસ જાહેર કરવામાં આવશે. ત્યારે આ મામલે કોંગ્રેસ નેતા જગદીશ ઠાકોરે આકરા કટાક્ષ કર્યા હતા. જેમાં તેમણે જણાવ્યું કે સરકાર બનાવવાની વાતો કરતા AAP પહેલા 182 ઉમેદવાર તો જાહેર કરે અને પછી જ CMના ચેહરાની વાત કરવી જોઈએ. AAP જીતી શકે તે સ્થિતિમાં નથી ત્યારે ચૂંટણીમાં કેટલી બેઠક મળશે. તેનું કેજરીવાલે મુલ્યાકંન કરવુ જોઈએ.
મુખ્યમંત્રીના ચહેરા માટે લોકો પાસેથી સૂચનો મંગાવ્યા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થવા જઇ રહી છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપની સાથે આ વખતે આમ આદમી પાર્ટી પણ કમરકસીને મેદાનમાં ઉતરી છે. સામાન્ય રીતે ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મહત્વનો જંગ જોવા મળતો હતો, પરંતુ આ વખતે AAP પુરતી તૈયારી સાથે મેદાનમાં છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં ખૂબ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે. તેમજ પાર્ટીએ અત્યાર સુધીમાં ઉમેદવારોની સાત યાદી પણ જાહેર કરી દીધી છે. હવે આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરાને લઈને મોટા સમચાર સામે આવ્યા છે. આ માટે પાર્ટી દ્વારા એક કેમ્પેન શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રીના ચહેરા માટે લોકો પાસેથી સૂચનો માંગવામાં આવ્યા છે.
તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છોઃ અરવિંદ કેજરીવાલ
આજે સુરત ખાતે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સીએમ કેજરીવાલે કહ્યું હતું કે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા ત્યારે કોઈને પૂછવામાં આવ્યું નહીં કે તેમને બનાવીએ કે નહીં, ભૂપેન્દ્ર પટેલને બનાવ્યા ત્યારે પણ પૂછવામાં આવ્યું નહીં પણ અમે આવા નથી અમે જનતાને પૂછીએ છીએ કે તમે કોને મુખ્યમંત્રી તરીકે જોવા માંગો છો.
AAPનો CM કેમ્પેન
CM કેજરીવાલે કેમ્પેનની શરૂઆત કરતાંની સાથે નંબરની જાહેરાત કરી જેના પર કોઈ પણ વ્યક્તિ SMS, કોલ જે વોઇસ મેસેજ મોકલી શકે છે અને નેતાનું નામ જણાવી શકે છે. આ સિવાય એક વેબસાઇટની પણ જાહેરાત કરવામાં આવી છે. આગામી ત્રણ નવેમ્બર સુધી AAP દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવશે અને તે બાદ ચોથી નવેમ્બરે CMનો ફેસ જાહેર થઈ જશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, '6357000360' નંબર પર જનતા SMS, વોટ્સએપ મેસેજ, વોઈસ મેસેજ મોકલીને નેતાનું નામ જાણાવી શકે છે. આ ઉપરાંત લોકો [email protected] પર ઈમેલ મોકલીને પણ સૂચન આપી શકે છે. ત્રણ નવેમ્બર સુધી AAP દ્વારા આ કેમ્પેન ચલાવવામાં આવશે અને 4 નવેમ્બરના રોજ જે પરિણામ આવશે તે ગુજરાતના લોકોની સામે રાખવામાં આવશે.