સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ટૂંક સમયમાં શરૂ થશે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 16 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી મોદી નવી કેવડિયા- વડોદરા રેલવે લાઇન અને કેવડિયા રેલવે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરશે.
16 જાન્યુઆરીએ નવી રેલ્વે લાઇનનું ઇ-લોકાર્પણ
પ્રધાનમંત્રી મોદી હસ્તે લોકાપર્ણ
દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન
આ જાહેરાત કરતાં કેવડિયા રેલવે સ્ટેશન અને રેલવે લાઈનનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. વિવિધ પ્રવાસન આકર્ષણોને લઇને કેવડિયા પ્રવાસીઓનું માનીતું સ્થળ બન્યું છે, ત્યારે ત્યાં પહોંચતાં પ્રવાસીઓની સગવડ વધે તે માટે કેવડિયા સુધી રેલવે સેવા પણ શરૂ થવા જઈ રહી છે.
663 કરોડ ખર્ચ કરાશે
આ રેલવે સ્ટેશનમાં રહેવાની સુવિધા પણ હશે. કેવડિયા ખાતે તે માટે 663 કરોડ ખર્ચ થશે. કેવડિયાને જોડતી રેલવે લાઇન ડભોઈ વડોદરા થઈ અને કેવડિયા પહોંચશે. આ રેલવે સ્ટેશન પર અન્ય રેલવે કરતા વધુ પ્રવાસીઓ આવશે તેવી સરકારની આશા છે. આ ટ્રેન ઇલેક્ટ્રિક લાઇન સાથે જોડવામાં આવી છે.
ટ્રેનનો કરાશે ટેસ્ટ
જે એક કલાકમાં કેવડીયા સુધી પહોંચી જશે. છેલ્લા 5 દિવસમાં વડોદરાથી ડભોઇ સુધી તેની ટેસ્ટ ડ્રાઈવ પણ કરવામાં આવી છે. પહેલાં ટેસ્ટમાં 100 કિમિની ઝડપે ટ્રેન દોડવવામાં આવી ત્યાર બાદ 130 કીમી અને હવે 150 કિમિની ઝડપે દોડાવી ટેસ્ટ કરવામાં આવશે.
16 તારીખ સુધી પૂર્ણ થશે
દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશનમાં વીજ લાઇન સાથે સોલાર સિસ્ટમ લગાડવામાં આવશે જેના થકી આખું રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચાલશે. હાલ તમામ કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે અને 16 તારીખ સુધી પૂર્ણ પણ થઇ જશે.