ભારતમાં વેક્સિન લીધા બાદ એક વ્યક્તિનું મોત થયું હોવાનો સરકાર દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
ભારતમાં કોરોના વેક્સિનના કારણે પ્રથમ મોતની પુષ્ટિ
68 વર્ષના વ્યક્તિનું મોત થયું
8 માર્ચ 2021એ વેક્સિનન લીધી હતી
ભારતમાં વેક્સિનના કારણે એક 68 વર્ષના વ્યક્તિનું મોત થયું છે. ભારત સરકાર દ્વારા નિમવામાં આવેલી એક પેનલે તેની પુષ્ટિ કરી છે. જાણકારી અનુસાર, 68 વર્ષના વ્યક્તિને 8 માર્ચ 2021એ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જ્યાર બાદ તેમનું મોત થયું હતું.
કયા કારણોસર થયું મોત?
વેક્સિન લીધા બાદ કોઈ ગંભીર બિમારી થવાની અથવા મોત થવાને વૈજ્ઞાનિક ભાષામાં એડવર્સ ઈવેન્ટ ફોલોઈંગ ઈમ્યુનાઈઝેશન (AEFI) કહેવામાં આવે છે. AEFI માટે કેન્દ્ર સરકારે એક મોટી કમિટીની રચના કરી છે. આ કમિટીએ વેક્સિન લગાવ્યા બાદ થયેલી 31 મોતના અસેસમેન્ટ કર્યા બાદ કન્ફર્મ કર્યું છે કે એક વૃદ્ધ જેમની ઉંમર 68 વર્ષ હતી. તેમનું મોત વેક્સિન લીધા બાદ એમાફિલેક્સીસથી થયું છે. આ એક પ્રકારનું એલર્જીક રિએક્શન છે. વૃદ્ધને 8 માર્ચ 2021ના રોજ વેક્સિનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. અને થોડા દિવસ બાદ જ તેમનું મોત થઈ ગયું હતું.
આ રિએક્શન એલર્જી સાથે સંબંધિત હોઈ શકે
AEFI કમિટીના ચેરમેન ડો. એનકે અરોડાએ પહેલા મોતની પુષ્ટિ કરી છે. જોકે તેમણે આ મામલામાં આગળ બીજું કંઈ પણ કહેવાનો ઈનકાર કર્યો હતો. બીજી ત્રણ મોતનું કારણ પણ વેક્સિનને માનવામાં આવ્યું છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થવાની બાકી છે. સરકારી પેનલની રિપોર્ટ અનુસાર, "વેક્સિન સાથે જોડાયેલા હાલ જે પણ રિએક્શન સામે આવી રહ્યા છે. તેનું પુર્વાનુમાન હતું જ. તેમાં હાલ સાઈન્ટિફિક એવિડેન્સના આધાર પર વેક્સિનેશનને જવાબદાર ગણાવી શકાય છે. આ રિએક્શન એલર્જી સાથે સંબંધિત અથવા અનાફિલેક્સીસ જેવા હોઈ શકે છે."
Anaphylaxisના વધુ બે કેસ
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે Anaphylaxisના વધુ બે કેસ સામે આવ્યા છે. આ લોકોને 16 જાન્યુઆરી અને 19 જાન્યુઆરીએ વેક્સિન લગાવવામાં આવી હતી. આ બન્ને યુવાન હતા. તેમાંથી એકની ઉંમર 22 વર્ષની હતી અને એકની ઉંમર 21 વર્ષની હતી. આટલું જ નહીં, આ બન્નેને અલગ અલગ વેક્સીન લગાવવામાં આવી હતી. તેમાંથી એકને કોવિશીલ્ડ અને એકને કોવેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો હતો. જોકે આ બન્ને દર્દી હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ સાજા થઈ ગયા હતા.
જોકે ડોક્ટર અરોડાનું કહેવું છે કે હજારોમાં એકઆદને એલર્જી સાથે જોડાયેલુ રિએક્શન થાય છે. તેમણે જણાવ્યું કે, "જો વેક્સિનેશન બાદ Anaphylaxisના લક્ષણ દેખાય તો તરત સારવારની જરૂર છે. 30 હજારથી 50 હજાર લોકોમાંથી 1ને Anaphylaxis અથવા ગંભીર રિએક્શન દેખાઈ શકે છે."