નવરાત્રિના પાવનપર્વની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઇ રહી છે. નવરાત્રિના 9 દિવસ અનુક્રમે શૈલપુત્રી, બહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માન્ડા, સ્કંદમાતા, કાત્યાયિની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રિના પાવનપર્વની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થાય છે
મા શૈલપુત્રીની પૂજા કરવાથી મળશે માન-સન્માન
કુંવારી કન્યાઓના લગ્નમાં આવતી મુશ્કેલીઓ પૂર્ણ થશે
મા શૈલપુત્રીની પૂજાનુ મહત્વ
આ નવરાત્રિએ માં શૈલપુત્રીની પૂજા 26 સપ્ટેમ્બરે કરવામાં આવશે. આવો જાણીએ માતા શૈલપુત્રીની પૂજા-વિધિ, મંત્ર અને પવિત્ર ભોગ અંગે. માર્કન્ડેય પુરાણ મુજબ માં શૈલપુત્રીની વિધિવત પૂજા-અર્ચના કરવાથી સારું આરોગ્ય અને માન-સન્માનનું આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ સિવાય કુંવારી કન્યાઓના લગ્નમાં આવી રહેલી મુશ્કેલીઓ પૂર્ણ થશે. માતા શૈલપુત્રીને સફેદ ફૂલ અતિપ્રિય છે. તેથી તેમની પૂજામાં સફેદ ફૂલનો ફરજીયાત ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તેમની પૂજામાં સફેદ રંગની મિઠાઈનો ભોગ લગાવવો જોઈએ. સફેદ બરફી અને દૂધમાંથી બનાવેલી શુદ્ધ મિઠાઈઓનો પણ ભોગ લગાવી શકો છો. આ સિવાય માતાને સફેદ વસ્ત્ર અર્પણ કરવુ વધુ લાભકારક રહેશે.
મા શૈલપુત્રી ધરાવો આ ભોગ
નવરાત્રિના પ્રથમ દિવસે શૈલપુત્રીની પ્રતિમા અથવા ચિત્રને લાલ અથવા સફેદ રંગના શુદ્ધ આસન પર રાખો. માં શૈલપુત્રીને સફેદ રંગની વસ્તુ ખૂબ પ્રિય છે. એવામાં તેમને સફેદ વસ્ત્ર અથવા સફેદ ફૂલ અર્પિત કરો. આ સાથે સફેદ વસ્તુઓનો ભોગ અર્પણ કરો. જીવનમાં નકારાત્મક શક્તિઓનો નાશ કરવા માટે એક પાનના પત્તા પર સોપારી, લવિંગ અને ખાંડ રાખી માં શૈલપુત્રીને અર્પિત કરો.