લખનઉ જંક્શનથી નવી દિલ્હી માટે રવાના થનારી IRCTCની પહેલી ટ્રેન તેજસ એક્સપ્રેસને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આજે લીલી ઝંડી આપી. ગુરુવારે લખનઉ જંક્શન પર જીઆરપી અને IRCTC અધિકારીઓએ વ્યવસ્થાની તૈયારીઓ કરી દીધી છે. શુક્રવારે તેજસની યાત્રા કરનારા પેસેન્જરોને કેબ-વેથી પ્રવેશ નહીં મળે, તેઓએ સ્ટેશનના મુખ્ય ગેટથી પ્રવેશ કરવાનો રહેશે.
સીએમ યોગી આદિત્યનાથે કર્યું પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસનું ઉદ્ઘાટન
જાણી લો તેજસ એક્સપ્રેસ ટ્રેનમાં મળશે કયા ખાસ ફાયદા
ટ્રેનમાં આ પ્રકારે મળશે કેટરિંગની સુવિધાઓ
ટ્રેન આ નિયત સમયે કરશે લખનઉ-નવી દિલ્હીની સફર
Uttar Pradesh: Chief Minister Yogi Adityanath flags off the much awaited first corporate train of the country, Lucknow-Delhi #Tejas Express today at the Lucknow Junction Railway Station
🚄The commercial run of the train will start from tomorrow. pic.twitter.com/tY86Gkm9js
દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન તેજસ એક્સપ્રેસમાં પેસેન્જરોની વિમાનો જેવી સુવિધા મળશે. શુક્રવારે ઉદ્ધાટનમાં સ્પેશ્યિલ ટ્રેન 00501 તેજસ એક્સપ્રેસ સવારે 9.30 વાગે રવાના થશે. ટ્રેન કાનપુર અને ગાઝિયાબાદ થઈને નવી દિલ્હી સુધી જશે. જ્યારે ટ્રેન નિયમિત રીતે 6 ઓક્ટોબરથી શરૂ થશે. સીએમ યોગી ટ્રેનને લીલી ઝંડી આપશે.
Passengers to get compensation for delays in Delhi-Lucknow #Tejas train; Rs 100 for delays of over 1 hour, Rs 250 for over 2 hours: IRCTC. (PTI) pic.twitter.com/Z28Q9GjqN5
IRCTCની તરફથી ટ્રેનની પહેલી મુસાફરી કરનારા પેસેન્જર્સને કોમ્પ્લીમેન્ટ્રી લંચ આપવામાં આવશે. સાથે જ ગિફ્ટ પણ આપવામાં આવશે. ઉદ્ધાટન કાર્યક્રમમાં સીએમની સાથે રેલવે બોર્ડના ચેરમેન વીકે યાદવ, આઈઆરસીટીસી સીએમડી એમપી મલ, પૂર્વોત્તર રેલવેના મહાપ્રબંધક રાજીવ અગ્રવાલ, IRCTCના સીઆરએમ અશ્વિની શ્રીવાસ્તવ સહિત અનેક રેલવે અધિકારીઓ હાજર રહ્યા હતા.
પહેલાં પહોંચો સ્ટેશન, કેબ-વે રહેશે બંધ
શુક્રવારે ઉદ્ધાટન સમારોહને ધ્યાનમાં રાખીને લખનઉ જંક્શન પર ચારબાગની તરફ જતો યાત્રી કેબ વેનો ઉપયોગ કરી શકશે નહીં. કેબ વે બપોરે 12 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. પેસેન્જર જંક્શનના મુખ્ય ગેટથી પ્રવેશ કરી શકશે. સાથે જ આલમબાગની તરફથી આવનારા યાત્રીઓ મવૈયાની તરફથી કેબ વેનો રસ્તે આરપીએફ માલગોદામની ચોકીની સામે ગાડી પાર્ક કરીને પ્લેટફોર્મ પર પહોંચી શકશે.
જાણો તેજસ એક્સપ્રેસના ફાયદા
5 મિનિટ પહેલાં પણ કરાવી શકાશે બુકિંગ
25 લાખ રૂપિયાનો ફ્રી વીમો પેસેન્જર્સને મળશે
6 દિવસ ચાલશે આ ટ્રેન, મંગળવારે રહેશે બંધ
60 દિવસ પહેલાં કરાવી શકાશે રિઝર્વેશન
6.15 કલાકમાં લખનઉથી દિલ્હી પહોંચાડશે ટ્રેન
50 ચેરકોચ અને 5 એક્ઝીક્યુટિવ ક્લાસ સીટો વિદેશી પર્યટકો માટે રહેશે રિઝર્વ
ટ્રેન 2 કલાક કે તેથી વધુ મોડી પડશે તો 250 રૂપિયાનું મળશે રિફંડ
ટ્રેનમાં મળશે આ સુવિધાઓ
સીસીટીવી કેમેરાથી લેસ હશે બોગીઓ
સ્મોક અને ફાયર ડિટેક્શન સિસ્ટમ
સેંસર બેઝ્ડ ઓટોમેટિક દરવાજા
જીપીએસ આધારિત પેસેન્જર્સ ઈન્ફોર્મેશન ડિસ્પ્લે સિસ્ટમ
ચા- કોફી વેંડિંગ મશીન
ફ્રી વાઈફાઈ
કેટરિંગ - લખનઉથી દિલ્હી
સવારે 6.30 વાગે પેસેન્જર્સને ચા અને કુકીઝ આપવામાં આવશે.
સવારે 8 વાગે હેવી બ્રેકફાસ્ટ મળશે.
સવારે 11 વાગે પેસેન્જર્સને ચા- કોફી, જ્યૂસ સાથે હળવો નાસ્તો પણ મળશે.
દિલ્હીથી લખનઉ
સાંજે 4 વાગ્યાની આસપાસ હાઈ ટી એટલે કે સાંજે નાસ્તા સાથે ચા
સાંજે 7 વાગે રાતનું ભોજન મળશે.
(ચા- કોફી વધારે ઓછી પી શકાય છે. તે ફ્રી રહેશે. સાથે રેલનીરની એર બોટલ પણ મળશે.)