કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે અને ભારતમાં આ વાયરસનો ભોગ 100થી વધારે લોકો બન્યા છે ત્યારે હવે કોરોના વાયરસ કોલકત્તા સુધી પહોંચી ગયો છે.
વિશ્વમાં કોરોના વાયરસે મચાવ્યો કહેર
ભારતમાં 139 કેસ
કોલકત્તામાં કોરોનાનો પ્રથમ કેસ
ઉલ્લેખનીય છે કે, કોલકત્તામાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાયો હતો. આ વ્યક્તિ લંડનથી પરત ફરી હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે. જો કે, હાલ તેને સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે.
કોરોના વાયરસની સંખ્યા 139 થઇ
ભારતમાં કોરોના વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 139 થઇ ગઇ છે. જ્યારે 14 લોકો સ્વસ્થ થયા છે.
ઉદ્ધવ સરકારે બિન જરૂરી યાત્રા ટાળવા લોકોને કરી અપીલ
રાજ્ય કૅબિનેટની સાપ્તાહિક બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં ઠાકરેએ કહ્યું કે લોકો બિનજરૂરી યાત્રા ન કરે અને કારણ વિના એક જગ્યા પર જમા ન થાય. તેમણે એ પણ કહ્યું કે સરકારી ઓફિસોમાં સાત દિવસની કોઈ રજા નથી. ઉલ્લેખનીય છે કે મીડિયામાં એ વાત ફેલાઈ હતી કે મહારાષ્ટ્રમાં સરકારી કચેરીઓમાં રજા અપાઈ છે.
મહારાષ્ટ્ર સરકારે સંદિગ્ધોના હાથમાં સિક્કો લગાવશે
મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે કોરોનાના સંદિગ્ધોને ડાબા હાથે હવે એક સિક્કો લગાવી રહી છે. આ સિક્કો એ લોકોને લગાવાઈ રહ્યો છે જે પોતાના ઘરમાં આઈસોલેશનમાં રખાયા છે. જો કે હાલમાં મહારાષ્ટ્રમાં કોરોના વાયરસ (Coronavirus) ના 41 કેસ સામે આવ્યાં છે. દર્દીઓની સંખ્યાને વધતી રોકવા માટે સરકાર તરફથી અલગ અલગ પ્રકારના પગલાં ભરાઈ રહ્યાં છે.
વૈષ્ણો દેવી યાત્રા પર ન આવે તે ભાવિકોને કરી અપીલ
કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને જોતા શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રમેશ કુમારે મંગળવારે યાત્રા સાથે જોડાયેલી બાબતો અને તીર્થ યાત્રાળુઓની સુરક્ષાની સમીક્ષા કરી. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા સીઇઓએ તીર્થ યાત્રાળુઓને સ્થિતિ સામાન્ય બને ત્યાં સુધી પવિત્ર ગુફાની તીર્થ યાત્રાને સ્થગિત કરવાની અપીલ કરી છે.
વિશ્વમાં 6000થી વધુ લોકોના મોત
વિશ્વમાં 6000થી વધુ લોકોના મોત બાદ પણ કોરોના વાયરસ અટકવાનું નામ લેતો નથી. દેશમાં કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં કોરોના 12 નવા દર્દીઓની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રની ત્રણ વર્ષની બાળકી સહિત દેશભરમાં અત્યાર સુધીમાં 128 કેસ નોંધાયા છે. મહારાષ્ટ્ર કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. મુંબઇ, નવી મુંબઈ અને યવતમાળમાં કોરોના વાયરસના 5 નવા કેસોના આગમન સાથે મહારાષ્ટ્રમાં કોરોનાનો સકારાત્મક કેસ 39 પર પહોંચી ગયો છે. મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી છે, જ્યારે ગ્રુપ ટૂર પર પ્રતિબંધ મૂક્યો છે. પુણેમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે.
3 વર્ષની બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
લદ્દાખ, ઓડિશા, જમ્મુ- કાશ્મીરમાં 1-1, કર્ણાટકમાં 2 અને કેરળમાં કોરોના વાયરસના 3 નવા કેસ સામે આવ્યા છે. જેના કારણે દેશમાં કોરોના ગ્રસ્ત લોકોની સંખ્યા 126 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી 39 કેસ સામે આવ્યા છે. કર્ણાટકમાં નવા 2 દર્દીઓની ખરાઈ મોડી રાતે થઈ હતી. સાથે દર્દીઓની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે. મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 39 કેસ સામે આવ્યા છે. જેમાં એક ચોંકાવનારી વાત એ છે કે 3 વર્ષની બાળકીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બાળકીના માતા પિતા પણ કોરોનાગ્રસ્ત છે.
મંદિરોને કોરોનાનું ગ્રહણ
કોરોના વાયરસના પ્રકોપથી ધાર્મિક સ્થળ પણ સર્તક થઈ ગયા છે અને સાવાધાની રાખી રહ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા હેન્ડ વૉશ કરાવાય છે. એ બાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે. કોરોના વાયરસને પગલે ભારતના BAPS સંસ્થાનના તમામ મંદિરોમાં મૂર્તિ પ્રતિષ્ઠા, પાટોત્સવ, પૂનમ, એકાદશી જેવા ધાર્મિક કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી કરાયા છે. આ ઉપરાંત અનેક મંદિરો એ પણ વિશેષ પગલા ભર્યા છે.