ભારતમાં નિર્મિત ડોર્નિયર 228 વિમાન આજે પોતાની પહેલી કમર્શિયલ ફ્લાઈટ લેશે. જાણો આ વિષે વિગતવાર
દેશના એવિએશન સેક્ટર માટે આજે ખાસ દિવસ
મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટની કમર્શિયલ ફ્લાઈટ
નોર્થ-ઇસ્ટમાં વધશે કનેક્ટિવિટી
FTOનું પણ ઉદ્ધાટન
મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટની કમર્શિયલ ફ્લાઈટ
દેશમાં નિર્મિત ડોર્નિયર 228 વિમાન આજે પોતાની પહેલી કમર્શિયલ ફ્લાઈટ લેશે. આ સ્પેશિયલ એરક્રાફ્ટ અરુણાચલ પ્રદેશના દૂરના વિસ્તારોમાં એર કનેક્ટિવિટી પ્રદાન કરશે. ભારતીય એવિએશનનાં ઈતિહાસમાં આ એક મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવી રહી છે. અધિકારીઓ અનુસાર, આ વિમાનનાં માધ્યમથી દેશના બીજા હિસ્સાઓ સાથે નોર્થ ઇસ્ટની હવાઈ સેવાને વધુ મજબૂત બનાવી શકાય છે.
नागर विमानन द्वारा राष्ट्र निर्माण के क्रम में एक और कड़ी जुड़ने जा रही है!
નોર્થ-ઇસ્ટમાં વધશે એર કનેક્ટિવિટી
આ 17 સીટર ડોર્નિયર વિમાનનાં માધ્યમથી અરુણાચલ પ્રદેશનાં પાંચ શહેરોને અસમનાં ડિબ્રુગઢ સાથે જોડવામાં આવશે. જણાવી દઈએ કે એલાયંસ એરએ હિન્દુસ્તાન એરોનાટિક્સ લિમિટેડ સાથે ફેબ્રુઆરીમાં 17 સીટવાળા ડોર્નિયર 228 વિમાન માટે કરાર કર્યા હતા. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે આ જાણકારી આપતા જણાવ્યું કે સ્વદેશી વિમાનની પહેલી કમર્શિયલ ફ્લાઈટ અસમનાં ડિબ્રુગઢ અને અરુણાચલ પ્રદેશના પાસીઘાટ વચ્ચે હશે.
એકસાથે બે આયોજન
એક તરફ જ્યાં પહેલી કમર્શિયલ ફ્લાઈટ રવાના થશે ત્યાં બીજી તરફ આજે જ અસમનાં લીલાબાડીમાં પહેલા ઉડાન પ્રશિક્ષણ સંસ્થાનો પણ પ્રારંભ થશે. બંને કાર્યક્રમોમાં નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે અસમનાં સીએમ હિંમત બિસ્વા સરમા અને અરુણાચલ પ્રદેશનાં મુખ્યમંત્રી પેમા ખાંડૂ પણ હાજર રહેશે.