ઉત્તરપ્રદેશની પોલીસે ગેરકાયદેસર ધર્માંતરણનો કાયદો બન્યાના ગણતરીના કલાકોમાં આ લવ જેહાદના કાયદા હેઠળ પહેલો કેસ દાખલ કર્યો હતો.
ઉત્તરપ્રદેશના ગવર્નર આનંદીબેન પટેલે લવ જેહાદને લગતો નવો કાયદો પસાર કર્યાના ગણતરીના કલાકોમાં બરેલી પોલીસે આ કાયદાના સેક્શન 3 અને સેક્શન 5 હેઠળ FIR દાખલ કરી હતી.
બરેલી પોલીસે કહ્યું કે શરીફનગરના રહેવાસી તિકારામે ફરિયાદ કરી હતી કે એક વ્યક્તિએ તેમની દીકરી સાથે ફક્ત તેણીને ધર્માંતરણ કરાવવા માટે મિત્રતા આચરી હતી. તેમણે કહ્યું હતું કે આરોપી તેમના આખા પરિવારને અપ્શબ્દો અને મોતની ધમકીઓ આપે છે.
આ મુદ્દે બરેલીના રૂરલ SP સંસાર સિંઘે કહ્યું હતું કે આ પહેલા પણ આરોપી ઉપર આ મહિલાનું અપહરણ કરવાનો આરોપ હતો. અત્યારે આરોપીને ભાગેડુ જાહેર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે ફરજિયાત ધર્માંતરણ નિષેધના નવા કાયદા પ્રમાણે આરોપી સામે બિન જામીન પાત્ર ગુનો દાખલ થાય છે અને તેમને 10 વર્ષના જેલની સજા થઇ શકે છે.